________________
૧૯૦
સૂત્ર સંવેદના-૬
ગુરુ કહે ‘પુળરવિ જાયો’-ત્યારે યથાશક્તિ, કહી ખમા આપી, ઇચ્છા. પચ્ચક્ખાણ પાર્યું ? ગુરુ કહે ‘આયારો ન મોતવ્યો' ત્યારે તહત્તિ, એમ કહી, મૂઠીવાળી જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર મૂકી એક નવકાર ગણી. જે પચ્ચક્ખાણ કર્યું હોય તે પચ્ચક્ખાણ પારવું. પચ્ચક્ખાણ પારતી વખતના ભાવો આદિ પચ્ચક્ખાણ પારવાના સૂત્રો સાથે આપેલ છે.
સ્વાધ્યાયાદિ દ્વારા શુભભાવમાં વધુ સ્થિર રહી શકાય તે માટે શક્તિસંપન્ન શ્રાવક પૌષધમાં શક્ય હોય તો ચઉવિહાર ઉપવાસ કરે. જે શ્રાવકની તેવી શક્તિ ન હોય, તે શ્રાવકને જ્યારે ક્ષુધા-તૃષા આદિ કારણોથી મારા સ્વાધ્યાય આદિમાં વિધાત થશે તેવું જણાય ત્યારે તે પરિમુદ્ધ જેટલો સમય થતાં પોતે નક્કી કરેલ પચ્ચક્ખાણને પારવાની ક્રિયા કરે અને પછી આહાર આદિ માટે જાય. તેની વિધિ આ પ્રમાણે છે.
૯. આહાર વિધિ :
૧. કાળવેળાના (બપોરના) દેવવંદન કરીને પચ્ચક્ખાણ પાર્યા પછી, ગુરુની આજ્ઞા લઈને, ત્રણવાર આવસહિ કહી પૌષધશાળામાંથી નીકળી ઇર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જ્યાં વાપરવાનું હોય ત્યાં જવું અને ત્યાં પ્રવેશ કરતાં ‘જયણા મંગળ' બોલવું,
૨. ત્યાં સ્થાપનાચાર્ય સ્થાપી ઇરિયાવહિયં પડિક્કમી સો હાથ ઉપર જવાયું હોય તો ગમણાગમણે કહેવું.
૩. ત્યાર પછી પાટલા, વાસણ, ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રમાર્જના કરવી.
૪. વસ્ત્ર પરિવર્તન કરીને ચરવળો જમણી બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણી આહાર કરવો.
સાધકે આહાર માત્ર સંયમને ટકાવવા પૂરતો કરવાનો છે તેથી તેમાં ક્યાંય રાગ-દ્વેષ ન થઈ જાય કે અન્ય કોઈ દોષ ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખવી. આહાર કરતાં મૌન જાળવવું, જેથી જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય.
જે ચીજો પીરસી હોય તે માટે યજમાન ‘વાપરો’ કહે પછી જ વાપરવી, સચિત્ત ન વાપરવું, બચકારા ન બોલાવવા, સૂરસૂર કે ચપચપ અવાજ ન કરવો. વાપરતાં