________________
૧૮૪
સૂત્ર સંવેદના-૬
.
. પડિલેહણની વિધિ એ જયણા પાળવા માટેની ઉત્તમ વિધિ છે તેથી આ વિધિ કરવા પૂર્વે શ્રાવકે ‘નાત્મવત્ સર્વભૂતેષુ'ની ભાવનાથી ભાવિત થવું જોઈએ. જીવ માત્ર જ્યારે પોતાના સમાન જણાય ત્યારે આપોઆપ તે જીવોને કોઈપણ પ્રકારની પીડા ન થાય તેવી જ રીતે પ્રવૃત્તિ કરવાની સાવધાની આવી જાય છે. પડિલેહણની ક્રિયા આવી કરુણાના ભાવપૂર્વક કરવી જોઈએ; પરંતુ વસ્ત્રને આમ-તેમ ફેરવી પડિલેહણ કર્યાનો સંતોષ ન માનવો. ૨. પ્રતિલેખન કરનારે યાદ રાખવું કે, ભાઈઓએ કંદોરો બાંધ્યા પછી તથા
બેનોએ નાડું બાંધ્યા પછી ફરી ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ આપી, ઈચ્છકારી ભગવત્ ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી' એવો આદેશ માગી, ગુરુભગવંત પડિલેહેહ' કહે ત્યારે. ‘ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરી, વડિલ, બ્રહ્મચર્યવ્રતધારી, ગ્લાન કે બાલ આદિની ભક્તિ
કરવા માટે તેઓના વસ્ત્ર કે ઉપધિનું પડિલેહણ કરી આપવું. પૌષધવ્રત સ્વીકારનાર સાધકમાં પરોપકાર કરવાની વૃત્તિ સવિશેષ હોય છે, આ ગુણની વૃદ્ધિ માટે તથા અન્ય ગુણવાનની ભક્તિ કરવા દ્વારા પોતાનામાં તે ગુણોની રુચિ તીવ્ર બનાવવા માટે સાધક અન્ય પૌષધવ્રતધારીઓનું પડિલેહણ કરે છે. ૩. ત્યારપછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ મુહપતિ પડિલેહું ?” કહી, ગુરુ જ્યારે પડિલેહેહે' કહી અનુજ્ઞા આપે
ત્યારે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરી મુહપતિ પડિલેહવી. ૪. પછી ખમાસમણ આપી ઈચ્છાકારેણ સંસિહ ભગવત્ ! ઉપધિ
સંદિસા ?’ કહી ગુરુ “સંદિસાહ' કહે ત્યારે ઈચ્છે' કહી ફરી એક ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ પડિલેહું?’ નો આદેશ માંગવો. ગુરુ પડિલેહેહ' કહી અનુજ્ઞા આપે ત્યારે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો અને તે પછી પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાસન, માતરું કરવા જવાનું વસ્ત્ર, કામળી અને રાત્રિ-પોસહ કરવો હોય તો
સંથારા વગેરે રપ-રપ બોલથી પડિલેહવાં. ૫. પછી દંડાસણ યાચી ઈરિયાવહી પક્કિમીને દંડાસન પડિલેહી, જેટલી
વસતિ (જગ્યા) વાપરવી હોય તેટલી જગ્યામાં દંડાસનથી કાળજીપૂર્વક કાજો લેવો (દંડાસનથી વસતિનો કચરો લેવો) અને સૂપ-પંજણી દ્વારા