________________
૧૬૪
સૂત્ર સંવેદના-૬
सव्वे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुज्झ वि तेह खमंत ।।१६।।
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
सर्वे ! जीव-निकायाः ! सिद्धानाम् साक्ष्ये आलोचना (कृत्वा) मम न वैरभावः । क्षान्त्वा क्षमयित्वा मयि क्षमत ।।१५।। सर्वे जीवाः कर्मवशात्, चतुर्दर्शरज्जौ भ्राम्यन्तः ।
मया ते सर्वे क्षामिताः, मम अपि ते क्षाम्यन्तु ।।१६।। શબ્દાર્થ :
હે સર્વ જીવસમૂહ ! સિદ્ધભગવંતની સાક્ષીએ આલોચના કરીને હું કહું છું કે, મને (કોઈની સાથે) વૈરભાવ નથી, (તમને) ખમીને (= ક્ષમા આપીને એટલે કે તમારા અપરાધોને માફ કરીને, તથા તમને) ખમાવીને (= મારા અપરાધોની તમારી પાસે માફી માગીને) (હું તમને વિનંતી કરું છું, તમે પણ મારી ઉપર ક્ષમા કરો. (હું જાણું છું કે, સર્વે જીવો કર્મને વશ થંઈને ચૌદરાજલોકમાં ભમે છે. (વેરભાવથી મુક્ત થઈને) મેં તે સર્વને ખમાવ્યા છે (ભાવના રાખું છું કે, મને પણ તેઓ ખમાવે. /૧૫-૧૬
અથવા
હે સર્વ જીવનિકાયો ! (કિગ = ક્ષત્ત્વિ) તમને સૌને માફ કર્યા પછી અને (ઉમવિત્ર = ક્ષયત્વ) તમે સૌ મને માફ કરજો એવી તમને સૌને વિનંતી કર્યા પછી પણ મારે હજી એટલી માગણી ઊભી રાખવી પડે છે કે, ભવિષ્યમાં પણ તમે સૌ) (મડું ઉમદ = ય ક્ષમત) મારા પ્રત્યે ક્ષમાશીલ રહેજો કારણ કે, હું જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી મારા તરફથી તમને ડગલેને પગલે વેઠવાનું આવશે.) સિદ્ધભગવંતની સાક્ષીએ આલોચના કરીને (હું કહું છું કે,) મને કોઈની સાથે) વૈરભાવ નથી. (હું જાણું છું કે,) ચૌદ રાજલોકમાં ભમતા સર્વે જીવો કર્મને વશ છે. (વૈર ભાવથી મુક્ત થઈને) મેં તે સર્વને ખમાવ્યા છે (એટલે કે, તેમના દરેક અપરાધને હું ભૂલી ગયો છું અને હું એવી ભાવના રાખું છું કે, તેઓ પણ મને ખમાવે (એટલે કે, મારા અપરાધને ભૂલી જાય).