SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા પોરિસી સૂત્ર રમણતા ક૨વા ઇચ્છતા દરેક સાધકે સતત આવી વિચારણાઓ દ્વારા પરભાવમાંથી સુખ મળશે તેવો ભ્રમ કાઢવાં અને દેહાધ્યાસ તોડવા યત્ન કરવો જોઈએ. ૧૦. સર્વ સંગનો ત્યાગ : અવતરણિકા : દેહ, સ્વજન, વૈભવ આદિ બાહ્યભાવો છે એવું જાતને સમજાવ્યા પછી પણ ક્યાંક એવો પણ ભ્રમ બેઠો હોય છે કે, ‘ભલે આ ભાવો બાહ્ય અને નાશવંત છે; તોપણ તે મને સુખ તો આપે જ છે.’ આવો ભ્રમ કાઢવા સાધક પુન: પોતાનું અનુશાસન કરે છે. ૧૫૯ ગાથા : સંનોન-મૂલ્યા નીવેળ, પત્તા ટુઃવવુ-પરમ્પરા | तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरिअं ।। १३ ।। અન્વય સહિત સંસ્કૃત છાયા ઃ સંયોગ-મૂત્ઝા નીવેન, પ્રાપ્તી ૩:વ-પરમ્પરા | तस्मात् संयोग-सम्बन्धम्, सर्वं त्रिविधेन શબ્દાર્થ : મારા જીવે સંયોગના કારણે જ દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સંયોગ-સંબંધને મેં મન-વચન-કાયાથી વોસિરાવ્યા છે. વિશેષાર્થ : જીવે જે જે દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેનું મૂળ કારણ એકમાત્ર સંયોગ જ છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ અનેક પ્રકારના સંબંધોમાં જોડાય છે. તેમાંના કેટલાક કર્મના કારણે સહજ ઉત્પન્ન થયા હોય છે, તો કેટલાક પોતાની વૃત્તિઓને પોષવા, જીવે સ્વયં ઊભા કર્યા હોય છે, મોહને વશ પડેલો જીવ આ સંબંધોમાં મૂંઝાઈ, સંબંધિત વ્યક્તિઓ કે વસ્તુઓને પોતાની માનવાની મૂર્ખતા કરે છે. આવી મૂર્ખતાથી તે વિવેક ખોઈ, અનેક અનુચિત પાપપ્રવૃત્તિઓમાં જોડાઈ, ક્લિષ્ટ કર્મ બાંધી, દુ:ખ અને દુર્ગતિની હારમાળાનું સર્જન કરે છે. અનાદિકાળથી સંયોગના કારણે સર્જાતી રહેતી દુ:ખની વણથંભી વણઝાર વ્યુત્કૃષ્ટમ્ ।।રૂ।।
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy