________________
૧૪૬
સૂત્ર સંવેદના-૬
૫. સાગારી અનશન: અવતરણિકા:
હવે રાત્રિમાં કદાચ મૃત્યુ આવી જાય તો સમાધિમૃત્યુ મળે તે માટે સાધક સૂવા પૂર્વે કેવું અનશન સ્વીકારે છે તે જણાવે છે.
ગાથા:
जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए ।
आहारमुवहि-देहं, सव्वं तिविहेण वोसिरिअं ।।४।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
यदि मे अस्य देहस्य अस्यां रजन्याम् प्रमादः (नाशम्) भवेत् .
(તર્દિ) આહારમ્ ૩પ-દું, સર્વ ત્રિવધેન વ્યુત્કૃષ્ટમ્ III શબ્દાર્થ :
જો મારા આ દેહનું આ રાત્રિમાં જ મરણ થાય તો (મું) આહાર, ઉપાધિ અને દેહ આદિ સર્વને મન-વચન-કાયાથી વોસિરાવ્યાં છે. llll વિશેષાર્થ :
મૃત્યુનો સમય એ સંપૂર્ણ સાધનાજીવનની પરીક્ષાનો સમય છે અને સાધનાની સફળતા સમાધિમય મૃત્યુમાં છે; પરંતુ આ પરીક્ષાનો કાળ ક્યારે આવીને ઊભો રહે તે કોઈને ખબર પડતી નથી. તેથી સાધક સતત મૃત્યુ માટે સાવધાન રહે છે.
મરણ સમયે સાધકે આહાર, શરીર આદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરી અનશન સ્વીકારવું જોઈએ; આવું શાસ્ત્રમાં વિધાન છે. દિવસ દરમ્યાન જો મૃત્યુ આવી જાય તો સાધક શુભભાવોથી ભાવિત થઈ, અનશન સ્વીકારી મૃત્યુ સુધારી શકે પણ જો રાત્રિમાં સુષુપ્ત અવસ્થામાં મરણ આવે તો સાવધ રહેવું કપરું બને છે. એક તરફ દેહની અસહ્ય પીડા અને બીજી તરફ જન્મ્યા ત્યારથી જેની સાથે રાગના ગાઢ સંબંધો બંધાયા હોય તે દેહ, પરિવાર, વૈભવ આદિને છોડીને જવાનો ભય. તેના પ્રત્યેની લાગણીઓ અંતિમ ઘડીમાં સાધકના મનને વિહ્વળ કરી મૂકે છે. તેથી અચાનક 18. આ ગાથામાં ‘પુનામો પ્રમઃ' એ શબ્દ છે તેનો આ સંદર્ભમાં “મરણ' એવો અર્થ કરવાનો છે.