SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ , ઉપસંહારની ધર્મારાધના અવતરણિકા : પૂર્વની ગાથામાં ભાવજિનને વંદન કરી, હવે સમ્યત્વની શુદ્ધિ માટે ત્રણે લોકમાં રહેલાં સર્વ ચૈત્યોને (દહેરાસરોને), શાશ્વતા-અશાશ્વતા સ્થાપનાજિનને, (પ્રતિમાઓને) વંદન કરતાં કહે છે ગાથા : जावंति' चेइआइं, उड्डे अ अहे अतिरिअलोए अ । सव्वाइं ताइं वंदे, इह संतो तत्थ संताई ।।४४।। અન્વય સહિત સંસ્કૃત છાયા : उद्धे चाधश्च तिर्यग्लोके च यांवन्ति चैत्यानि । तत्र सन्ति तानि सर्वाणि इह सन् वंदे ।।४४।। ગાથાર્થ : ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં જે કોઈ ચૈત્યો છે અર્થાત્ જિનમંદિર કે જિનપ્રતિમા છે, તે સર્વને અહીં રહેલો હું વંદના કરું છું. વિશેષાર્થ: આ ગાથા બોલતાં શ્રાવક ત્રણે લોકની સર્વ પ્રતિમાઓને નજર સમક્ષ લાવે છે, પ્રતિમામાં સ્થાપન કરેલા ભગવદ્ સ્વરૂપનું સ્મરણ કરે છે, અને ભાવવિભોર થઈ સર્વને પ્રણામ કરતો પોતાના તેવા સ્વરૂપને પ્રગટાવવા પ્રયત્ન કરે છે. 1. આ ગાથાનો વિશેષ અર્થ સૂત્ર સંવેદના-૨ માંથી જોવો.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy