________________
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
૨૨૧
અવતરણિકા :
.
આ જ વાત સૂત્રકાર અન્ય દૃષ્ટાંત દ્વારા વધુ પુષ્ટ કરે છે
ગાથા :
जहा विसं कुट्ठगयं, मंत-मूल-विसारया । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निविसं ।।३८।। અન્વય સહિત સંસ્કૃત છાયા ? यथा मन्त्र-मूल-विशारदाः वैद्याः कोष्ठगतं विषम् ।
મ નત્તિ, તતઃ સ નિર્વિ: મવતિ રૂડા ગાથાર્થ :
જેમ મંત્ર અને મૂળમાં વિશારદ એવા વૈદ્યો, જેમ ઉદરમાં ગયેલા ઝેરને મંત્રો અને મૂળ વડે હણી નાંખે છે, તેથી તે વિષગ્રસ્ત માણસ નિર્વિષ થાય છે. (તે જ રીતે અલ્પ પાપબંધવાળો શ્રાવક પણ પ્રતિક્રમણાદિથી પાપમુક્ત થાય છે.) વિશેષાર્થ :
जहा विसं कुटुंगयं मंत-मूल-विसारया विजा हणंति मंतेहिं - જેમ પેટમાં ગયેલ વિષને, મંત્ર મૂળના વિશારદ વૈદ્યો મંત્રો વડે હણે છે.'
પ્રાણનાશક વસ્તુને વિષ કહેવાય છે. આ વિષ બે પ્રકારનું છે. (૧) સ્થાવર અને (૨) જંગમ. તેમાં અફીણ, સોમલ (Pottasium Cynide) વગેરેને સ્થાવર વિષ કહેવાય છે, અને સાપ, વીંછી વગેરે પ્રાણીઓના વિષને જંગમ વિષ કહેવાય છે. આ બંને પ્રકારના વિષેમાંથી કોઈ પણ પ્રકારનું વિષ શરીરમાં જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે. જે વૈદ્યો ઝેર ઉતારવાના મંત્રો અને ઔષધિઓને જાણે છે, માત્ર જાણે છે તેમ નહિ પરંતુ અનુભવીઓ દ્વારા તેની વિધિ, માત્રા આદિનું જેણે સુંદર જ્ઞાન મેળવ્યું છે, તેવા મંત્ર-મૂળમાં વિશારદ એવા વૈદ્યો, આવા પ્રકારના પેટમાં ગયેલા વિષનો પણ નાશ કરે છે.
તો તં વ૬ નિત્રિ - (મંત્રો વડે ઝેર હણાય છે) તે કારણથી તે નિર્વિષ થાય છે.