________________
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
૨૧૭
તેનો પરિણામ નિર્ધ્વ =નિર્દય નથી હોતો, તે કારણથી તેને કર્મનો બંધ અલ્પ થાય છે. વિશેષાર્થ :
સદિઠ્ઠી નીવો ન વિ દુપાવં સમાયર વિધિ - સમ્યગુષ્ટિ જીવ જોકે થોડું પાપ આચરે છે.
પ્રતિક્રમણ કરનાર શ્રાવક પ્રાયઃ સમ્યગ્દષ્ટિ હોય છે. આ જ કારણે તે પાપકર્મોને અને તેનાં ફળોને સારી રીતે જાણતો હોય છે. પાપથી થતી દુર્ગતિની પરંપરાને નહિ ઈચ્છતો શ્રાવક, શક્ય હોય તો પાપકાર્ય કરતો નથી. આમ છતાં સંસાર પ્રત્યે કાંઈક આસક્તિ હોવાને કારણે, અને સર્વાશે પાપવ્યાપારનો ત્યાગ કરવા સમર્થ નહીં હોવાને કારણે, કેટલાંક પાપો તો તેને ન છૂટકે કરવાં પડે છે. જેમ કે ધનાર્જન માટે વ્યાપાર કે કટુંબના ભરણ-પોષણ માટે રસોઈ વગેરે. આ સર્વ કાર્યોમાં હિંસાદિ પાપોની સંભાવના રહે છે.
અપ્પોસિ દોફ વંથો ને ન નિબંધ 3 - (સમ્યગુષ્ટિ જીવ પાપકર્મ કરે છે, પરંતુ) જે કારણથી તેના પરિણામ નિર્ધ્વસ-નિર્દય નથી હોતો, તે કારણથી તેને કર્મનો બંધ અલ્પ થાય છે. સમ્યગુષ્ટિ જીવ સંસારમાં રહે છે પણ તેનું મન મોક્ષમાં હોય છે, માટે તેમની
1. મિત્ર ો મોક્ષે વિત્ત ભવેત્તનું
तस्य तत् सर्वे एवेह योगो योगो हि भावतः ।। योगबिन्दु - २०३ श्लो ભેદી નાંખી છે ગ્રન્થિ જેણે એવા સમ્યગુદૃષ્ટિનું જ કારણથી ચિત્ત પ્રાય: મોક્ષમાં અને શરીર સંસારમાં હોય છે, તે કારણથી તેનો સર્વ પણ વ્યાપાર ભાવથી યોગ જ છે. नार्या यथाऽन्यसक्तायाः तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।। योगबिन्दु - २०४ श्लो જે પ્રમાણે અન્ય પુરુષમાં આસક્ત એવી નારીનો મનનો પરિણામ સદા અન્ય પુરુષમાં જ હોય છે, તે કારણથી તેના યોગો પાપબન્ધરૂપ જ હોય છે; તેમ સમ્યગુદૃષ્ટિ સંસારમાં હોવા છતાં તેનું ચિત્ત મોક્ષમાં હોવાને કારણે તેના સર્વ પણ વ્યાપાર ભાવથી યોગ જ કહેવાય. न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाऽऽकुलस्यापि तत्र चित्तं न जायते ।। योगबिन्दु - २०५ श्लो અહીં ગ્રંથિભેદ દ્વારા સમ્યગુદૃષ્ટિ મોક્ષના ઉત્તમ ભાવોને જોતો હોય છે. તે ક્યારેક ઈતર = સંસારની કોઈ ક્રિયાથી આકુળ હોય તો પણ તેનું ચિત્ત મોક્ષમાં નથી હોતું એવું નથી. અર્થાતુ તેનું ચિત્ત મોક્ષમાં જ હોય છે.