SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું વ્રત ૧૯૯ અવતરણિકા : . હવે બારમા અતિથિ-સંવિભાગ વ્રતમાં સુપાત્રનું અને દાન આપવા યોગ્ય વસ્તુનું સ્વરૂપ બતાવી, તેવા પાત્રમાં પણ પ્રમાદને કારણે કરવા યોગ્ય કાર્ય ન થઈ શક્યું હોય, તેનું પ્રતિક્રમણ જણાવાય છે ગાથા : સહૂનું સંવિમા ન વાગો તવ-રર-ર-ગુરુ संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ।।३२॥ અન્વય સહિત સંસ્કૃત છાયા : प्रासुकदाने सति तपश्चरण-करण-युक्तेषु साधुषु । संविभागः न कृतस्तं निन्दामि तं च गहे ।।३२।। ગાથાર્થ : પ્રાસુક (જીવ વિનાનો અને એષણીય - ૪૨ દોષ વિનાનો) આહાર હોવા છતાં, તપ-ચારિત્ર અને ક્રિયાથી યુક્ત સાધુભગવંતોનો સંવિભાગ ન કર્યો હોય, એટલે કે ભક્તિપૂર્વક તેમને દાન ન કર્યું હોય તો તે રૂપ પ્રમાદાચરણને હું બિંદુ છું અને ગણું છું. વિશેષાર્થ: . સીદૂ વિમાનો નવમો તવ-રર-ર-નુત્તે -તપ-ચારિત્ર અને ક્રિયાયુક્ત મુનિઓને દાન ન આપ્યું હોય. બારમા વ્રતનો સ્વીકાર કરીને સુપાત્રમાં વિધિપૂર્વક દાન ન કરાય તો જેમ દોષ લાગે છે, તેમ દાન આપવાની પોતાની શક્તિ હોય, દાન આપવા યોગ્ય આહાર આદિ પોતાની પાસે હોય, અને પુણ્ય યોગે સુપાત્રનો સંયોગ સાંપડ્યો હોય, આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે દાન ન કરાય તો પણ દોષ લાગે છે. માટે આ ગાથામાં તે દોષની નિંદા કરતાં સૌ પ્રથમ સુપાત્રની ઓળખાણ આપતાં જણાવે છે કે – 7. प्रगतो असव उच्छ्वासादयः प्राणा यस्मात् स प्रासुकः । - वृन्दारुवृत्ति શ્વાસોશ્વાસાદિ પ્રાણો જેમાંથી ચાલ્યા ગયા છે તેને પ્રાસક કહેવાય છે, અથવા નિષ્માણ શરીરને પ્રાસુક કહેવાય છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy