________________
બારમું વ્રત
૧૯૩
ભિક્ષાનો સમય વીતી ગયા પછી મુનિને બોલાવવા જાય, જેથી તેઓ લે નહિ અથવા ઓછું લે. આ “કાલાતિક્રમ' નામનો પાંચમો અતિચાર છે.
ત્યે સિધાવણ નિકે - “અતિથિ-સંવિભાગ' નામના ચોથા શિક્ષાવ્રતના વિષયમાં જે કોઈ અતિચારો સેવાયા હોય તેની હું નિંદા કરું છું.
આ ગાથામાં પાંચ અતિચારો જણાવ્યા છે પરંતુ તેના ઉપલક્ષણથી બીજા પણ અનેક અતિચારો સમજવાના છે. જેમ કે, મુનિને નિમંત્રણા કરવાનું ભૂલી જવું, મુનિભગવંત પધારે ત્યારે દેશ, કાળ કે તેમના સ્વાસ્થને અનુરૂપ આહાર ન આપવો, તેમને શું અનુકૂળ આવશે તેનો વિચાર કર્યા વિના પોતાની ભાવનાને પ્રાધાન્ય આપી પ્રતિકૂળ ચીજથી પાત્રો ભરી દેવાં, ભાવનાના અતિરેકથી પૂર્વકર્મ, પશ્ચાતુકર્મ દોષનો ખ્યાલ ન રાખવો, ભિક્ષા સંબંધી ૪ર દોષની જાણકારી મેળવી નિર્દોષ આહાર ન આપવો, દોષિતને નિર્દોષ કહેવું વગેરે ઘણા અતિચારો છે. આ સર્વે અતિચારોને યાદ કરી શ્રાવક તેની નિંદા કરે છે.
જિજ્ઞાસા: ‘અતિથિને દાન આપીને પોતે ભોજન કરવું - આવું વ્રત સ્વીકાર્યા પછી ઉપરોક્ત દોષોની સંભાવના કઈ રીતે હોઈ શકે ?
તૃપ્તિ મુનિને દાન આપવાથી કેવું વિશિષ્ટ ફળ મળશે, તે લગભગ આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક જાણે છે; તો પણ દાનાંતરાયકર્મ અને લોભાદિ કષાયોના ઉદયને કારણે દાન આપવાના અવસરે ક્યારેક આવા દોષો થવાની સંભાવના છે. આવા દોષોનું સેવન થયા પછી દોષોનો પશ્ચાત્તાપ આદિ થાય તો આ વ્રત ટકે છે. બાકી કૃપણતાદિ દોષોને કારણે દાન ન આપે, આપનારને વારે કે આપ્યા પછી વધુ અપાઈ ગયું” વગેરે પશ્ચાત્તાપ કરે તેને માટે તો વ્રતભંગ જ છે. - આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“સંસાર-સાગરને તરવાનું અમોઘ સાધન સંયમ છે; પરંતુ અવિરતિના ઘરમાં બેઠેલો હું આ સંયમ માટે તો સમર્થ નથી, તો પણ ગુણવાન આત્માઓની ભક્તિ, બહુમાન અને સત્કારાદિ દ્વારા મારામાં એ સામર્થ્ય પ્રગટાવી શકું તેમ છું; અને તે માટે મેં આ વ્રતનો સ્વીકાર કર્યો છે. છતાં કૃણતા, અનુપયોગ આદિ દોષોને કારણે આ વ્રત સંબંધી ઘણા દોષોનું સેવન મારાથી થઈ ગયું છે. તે સર્વ દોષોને સ્મરણમાં લાવી, આત્મસાક્ષીએ તેની હું નિંદા કરું છું. ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને નિરતિચાર આ વ્રતપાલનનું સત્વ મારામાં પ્રગટે તે માટે 5. ગોચરી વિષયક ૪૨ દોષો યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાંથી ગુરુગમથી જાણી લેવા.