________________
બારમું વ્રત
૧૯૧
પ્રગટાવું !” આ ભાવનાપૂર્વક, મહાત્માઓના ગુણોને યાદ કરી, ભક્તિભાવથી આહારાદિ માટે નિમંત્રણ કરી આહાર આદિ વહોરાવે. આ ભાવનાના પ્રભાવે તેના આત્માના ચારિત્રાદિ ગુણને આવરતું કર્મ નબળું પડે અને ક્યારેક તત્કાળ અને ક્યારેક સમય જતાં તેને તે ગુણો પ્રાપ્ત થાય. જિજ્ઞાસા ગામમાં મુનિભગવંતો ન હોય તો આ વ્રતધારી શ્રાવક શું કરે ?
તૃપ્તિ: ગામમાં સાધુભગવંત ન હોય તો ગૃહદ્વાર પાસે આવી ચારે દિશામાં અવલોકન કરે, ક્યાંયથી મુનિભગવંત આવે છે કે નહીં તેની તપાસ કરે. ક્યાંયથી આવતા ન દેખાય તો શુદ્ધ ચિત્તે વિચારે કે “ધન્ય છે તે નગરીને ! ધન્ય છે ત્યાંના લોકોને ! જ્યાં સાધુભગવંતો સુલભ છે. હું પુણ્યહીન છું. મને સદા માટે તો સંયમી આત્માનો સુયોગ સાંપડતો નથી, તો પણ આજે જો કોઈ મહાત્માનો યોગ થયો હોત તો હું તેમની અન્નાદિથી ભક્તિ કરી મારા આત્માનો નિસ્તાર કરત.” આ ભાવના ભાવે અને પછી કોઈ સાધુ કે સાધ્વીનો યોગ ન સાંપડે તો શક્તિ હોય તો ઉપવાસ કરે અને શક્તિ ન હોય તો શ્રાવક કે શ્રાવિકાની આહારાદિથી ભક્તિ કરી પછી પોતે ભોજન કરે.
જિજ્ઞાસા અતિથિસંવિભાગવત પૌષધોપવાસ કરીને થાય કે તે વિના પણ થઈ શકે ?
તૃપ્તિ : સામાન્ય રીતે અતિથિનો સત્કાર શ્રાવકે નિત્ય કરવાનો છે, પરંતુ બારવ્રતમાં જે અતિથિસંવિભાગ વ્રત બતાવ્યું છે, તે અત્યારની ચાલતી પરંપરા પ્રમાણે પૌષધોપવાસ કરીને, બીજે દિવસે મહાત્માઓને આહાર પ્રદાન કરી, તેઓ જે વહોરે તે વસ્તુથી ઠામ ચૌવિહાર એકાસણું કરી કરાય છે.
આ વ્રતની આરાધના કરતાં અનાભોગથી, સહસાત્કારથી કે લોભાદિ કષાયને આધીન થવાથી જે જે દોષોની સંભાવના છે, તે હવે આ ગાળામાં જણાવે છે.
સચ્ચિત્ત નિવિરઘવપt - સચિત્તનિક્ષેપ. મુનિરાજને દાન કરવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત જળ, માટી કે અન્ય સચિત્ત પદાર્થો મૂકી દેવા, તે “સચિત્તનિક્ષેપ' નામનો પ્રથમ અતિચાર છે. દા.ત. કાચા પાણીમાં મૂકેલો રસ વગેરે.
પિકિ - સચિત્તપિધાન. સચિત્ત શ્રીફળ, બીજોરું વગેરે પદાર્થોથી દાન આપવા યોગ્ય વસ્તુને ઢાંકવી