________________
બારમું વ્રતા
અવતરણિકા :
હવે બારમા અતિથિસંવિભાગવતનું સ્વરૂપ તથા અતિચારો જણાવવામાં આવે છે–
ગાથા :
सच्चित्ते निक्खिवणे, पिहिणे ववएस-मच्छरे चेव । कालाइक्कमदाणे, चउत्थे सिक्खावए निंदे ।।३०।।
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ सचित्ते निक्षेपणे, पिधाने व्यपदेश-मत्सरे च एव । कालातिक्रम-दाने, चतुर्थे शिक्षाव्रते निन्दामि ।।३०।।
ગાથાર્થ :
ચોથા શિક્ષાવ્રતમાં દાનના વિષયમાં : સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ, આ પાંચ અતિચાર છે. આ પાંચમાંથી કોઈ પણ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.