________________
૧૪૪
સૂત્રસંવેદના-૪
ચૌદ નિયમનો સ્વીકાર કરનાર શ્રાવક વિચારે કે “દુનિયાભરના ભોગપદાર્થોમાંથી હું માત્ર બિન્દુ જેટલો જ ભોગ કરતો હોઈશ; પરંતુ સર્વ પદાર્થોને ભોગવવાની, તેનાથી સુખ માણવાની અવ્યક્ત ઇચ્છા તો મારામાં પડી જ છે. ક્યાંક નિમિત્ત મળતાં, શક્તિ અને સંયોગ પ્રાપ્ત થતાં આ ઇચ્છાઓ વ્યક્ત થઈ જાય છે, ત્યારે મારું અનિયંત્રિત મન જ્યાં-ત્યાં અને જે-તે વસ્તુઓ ભોગવવા
(૨) દ્રવ્ય = મુખમાં નાંખવાની દરેક ચીજ-વસ્તુની સંખ્યા નિશ્ચિત કરવી. , (૩) વિગઈ = દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ-ખાંડ, અને કડા વિગઈનું નિયમન કરવું. (૪) ઉપાનહ = બૂટ -ચંપલ વગેરે પગરખાંની સંખ્યા નિયંત્રિત કરવી. (૫) તંબોલ = મુખવાસ - સોપારી - વરિયાળી - ધાણાદાળ વગેરેનું સંખ્યાથી અને
વજનથી પ્રમાણ નક્કી કરવું. (૯) વસ્ત્ર = પહેરવાનાં કપડાંની જોડ, છૂટાં કપડાં વગેરેની સંખ્યા નિર્ણત કરવી. (૭) કુસુમ = સુંઘવાનું, છીંકણી, ફૂલ, અત્તર વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૮) વાહન = ટ્રેઈન, બસ, મોટર, ગાડું, સાયકલ રીક્ષા, વિમાન, લીફ્ટ વગેરેની
સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન = પલંગ - પથારી ખુરશી વગેરેની સંખ્યા નક્કી કરવી. (૧૦) વિલેપન = શરીરે લગાડવાના સાબુ-તેલ-દવા વગેરેનું વજન નક્કી કરવું. (૧૧) બ્રહ્મચર્ય = બ્રહ્મચર્ય દિવસે પૂર્ણ તથા રાત્રિના સમયનું પૂર્ણ અથવા અમુક સમયનું
નિયમન કરવું. (૧૨) દિશા = જવા-આવવાની દિશાનું નિયમન કરવું.” (૧૩) સ્નાન = સ્નાન કરવાની સંખ્યા નિશ્ચિત કરવી. (૧૪) ભક્તપાન = ભાત-પાણી વગેરેનું વજન નક્કી કરવું. ચૌદ નિયમ ઉપરાંત બીજી વિશેષ કરાતી ધારણા :
(૧) પૃથ્વીકાય = માટી-ખાર વગેરેનું વજન નક્કી કરવું. (૨) અપકાય = કાચા પાણી આદિનું પ્રમાણ ડોલ અથવા વજનથી નક્કી કરવું. (૩) તેઉકાય = વીજળી - ચૂલા વગેરેની સંખ્યા નક્કી કરવી. (૪) વાઉકાય = પંખા - હિંચકા આદિની સંખ્યા નક્કી કરવી. (૫) વનસ્પતિકાય = લીલોતરી, ફળ આદિની સંખ્યા નક્કી કરવી. () ત્રસકાય = હાલતા ચાલતા જીવોની જયણા કરવી. (૭) અસિકર્મ = હથિયાર, કાતર, ચપ્પ વગેરેની સંખ્યાનું નિયમન કરવું (૮) મસિકર્મ = લખવાનાં સાધન પેન-પેન્સિલ વગેરેની સંખ્યા નક્કી કરવી. (૯) કૃષિકર્મ = ખેતીનાં સાધનો : હળ - કોદાળી - પાવડા વગેરેની સંખ્યા
નક્કી કરવી. ચૌદ નિયમ વિષયક વિશેષ સમજણ ગુરુભગવંત પાસેથી મેળવી લેવી જોઈએ.