________________
છઠ્ઠું વ્રત
૧૩૧
વિશેષાર્થ :
મળા થ(૩) પરિમાળે - વળી ગમનાગમનના પરિમાણમાં.
સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં છઠ્ઠું ‘દિપરિમાણવ્રત’ છે. દિગ્ એટલે દિશા અને પરિમાણ એટલે માપ (પ્રમાણ). ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વ દિશા અને અધો દિશા આમ દશેય દિશામાં જવા-આવવા માટેનું પ્રમાણ નક્કી કરવું તે ‘દિગ્પરિમાણ વ્રત’ નામનું પહેલું ગુણવ્રત છે. આ ત્રણ વ્રતો પ્રાણાતિપાત વિરમણ આદિ જે મૂળ વ્રતો છે તેને ગુણ કરનારાં હોવાથી તેમને ગુણવ્રત કહેવાય છે.
કહેવાય છે કે ગૃહસ્થ (પાપથી વિરામ ન પામેલો જીવ), તપાવેલા લોઢાના ગોળા જેવો છે. તપાવેલો લોઢાનો ગોળો જ્યાં જાય, જેની પાસે જાય ત્યાં તેને બાળી નાંખે છે; તેમ આરંભ-સમારંભમાં બેઠેલો ગૃહસ્થ જ્યાં જાય ત્યાં તેનાથી હિંસાદિ પાપો થવાની પૂરી સંભાવના રહે છે. માટે હિંસા વગેરેથી બચવા શ્રાવક દિગ્પરિમાણ વ્રતનો સ્વીકાર કરે. શ્રમણભગવંતો નિરારંભી છે, વળી તેઓ ક્યાંય પણ જાય તો જીવવિરાધના ન થાય તેની પૂર્ણ કાળજીવાળા છે. તેથી તેઓ માટે ક્ષેત્રનિયમનની જરૂર રહેતી નથી.
આ વ્રત પણ અહિંસક આદિ ભાવના પોષણ માટે છે. અહિંસકભાવની વૃદ્ધિને
1. फारप्फुलिंगभासुर - अयगोलगसन्निहो इमो निच्चं । अविरइपावों जीवो, दहइ समंता समत्थजिए || १ || इवि न जाइ सव्वत्थ, कोइ देहेण माणवो एत्थ । अविरइपच्चयबंधो, तहावि निच्चो भवे तस्स ||२|| ધગધગતા અંગારા સરખા જાજ્વલ્યમાન તપાવેલા લોઢાના મોટા ગોળા જેવો, પાપથી વિરામ નહિ પામેલો આ જીવ, હંમેશાં સર્વત્ર સઘળા જીવોને બાળે (મારે) છે. (૧) જોકે કોઈ
• धर्मसंग्रह भाग - १
મનુષ્ય શરીરથી સર્વત્ર જઈ શકતો નથી, તોપણ અવિરતિના કારણે તેને હંમેશાં ત્રણે લોકનો (આરંભજન્ય) કર્મબંધ થાય છે. (૨) અન્યત્ર પણ કહ્યું છે કે –
. तत्तायगोलकप्पो, पमत्तजीवोऽणिवारिअप्पसरो ।
સવ્વસ્થ િન ા, પાવું તરાળુઓ ? શા (અગ્નિની ભઠ્ઠીમાં) તપાવેલા લોખંડના ગોળા સરખો પ્રમાદી જીવ કે જેણે (દિગ્ વિરમણ વ્રતથી) ગમનાગમનનો પ્રસાર રોક્યો નથી, તે જ્યાં જાય ત્યાં સર્વત્ર પાપનાં કારણો મળતાં કયું પાપ ન કરે ? અર્થાત્ સર્વત્ર સર્વ પાપો કરે.
- योगशास्त्र प्र. ३- २ टीका
.