SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સૂત્રસંવેદના-૪ અભાવ, શુદ્ધ પાલન છતાં લક્ષ્ય સાથે અનુસંધાન કરવાની ઉપેક્ષા, અને લક્ષ્યનું અનુસંધાન છતાં તે તરફ કેટલું આગળ વધાયું તેની વિચારણાનો અભાવ, આ સર્વ પણ પ્રમાદ જ કહેવાય છે. આત્મા માટે પ્રમાદ અત્યંત અહિતકારી છે. પ્રમાદને પનારે પહેલાનું પતન : નિશ્ચિત હોય છે. પ્રમાદને કારણે ચૌદ પૂર્વધરો પણ નિગોદમાં ગયા છે. આ પ્રમાદને આધીન થવાથી અપ્રશસ્ત-માઠા ભાવો ઉત્પન્ન થાય છે, જે વ્રત-મર્યાદાનું ઉલ્લંઘન કરાવે છે. આથી વ્રતધારી શ્રાવકે પોતાના જીવનમાં પ્રમાદ પ્રવેશી ન જાય તે માટે ખૂબ સાવધ રહેવું જોઈએ. વતપાલનનું ફળ : અહિંસાનું પાલન કરવાથી જીવને જે ફાયદા થાય છે અને તેનું પાલન નહીં કરવાથી જે નુકસાન થાય છે તેનો વિચાર કરી, શ્રાવકે અત્યંત જાગૃત બની આ વ્રતનું પાલન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં પ્રમાદને વશ થઈ વ્રતમાં અતિચારો લાગવાની સંભાવના ઘટી જાય. જીવદયાનું પાલન કરવાથી નીરોગી શરીર, સુંદર રૂપ, નિર્વિકારી યૌવન, દીર્ઘ આયુષ્ય, નિષ્કલંક યશ-કીર્તિ, ન્યાયપાર્જિત ધન, પૂજ્યભાવ ધારણ કરનારા પુત્રો, કદી ઠગે નહીં તેવો પરિવાર, આજ્ઞાને કોઈ તોડે નહીં પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ = આજ્ઞાનું ઐશ્વર્ય વગેરે ઉત્તમ સુખો પ્રાપ્ત થાય છે.” જ્યારે જીવદયા નહીં પાળનારાઓનું જીવન, પાંગળાપણું, ઠુંઠાપણું, કોઢિયાપણું, મહારોગો, સ્વજન આદિનો વિયોગ, શોક, અલ્પ આયુ, અકાળ મરણ, દુઃખ, દૌર્ભાગ્ય વગેરે મહાદુઃખોથી ભરેલું હોય છે. તેઓ નરક-તિર્યંચ જેવી ગતિઓમાં પરિભ્રમણ કરી મહા અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. 8. जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरत्तं फुडं, रूवं अप्पडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं । दीहं आउ अवंचणो परियणो पुत्ता सुपुण्णासया, तं सव्वं सचराचरं मि वि जए नूणं दयाए फलं ।।१।। (સંવો ., શ્રા. વ્રતધ, મા. ૨૨). पाणिवहे वर्द्रता, भमंति भीमासु गब्भवसहीसुं । संसारमंडलगया, नरयतिरिक्खासु जोणीसुं ।।१।। (સંવીધ પ્ર. કા. વ્રતધ. T. ૨૨)
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy