SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ સવા વસાની દયા : આ જગતમાં જીવો બે પ્રકારના છેઃ ત્રસ અને સ્થાવર. જે જીવો પોતાની ઈચ્છાનુસાર સુખ-દુઃખના સંયોગમાં હલન-ચલન કરી શકે છે, તેને ત્રસ જીવો કહેવાય છે, જે જીવો આવું હલન-ચલન નથી કરી શકતા, તેને સ્થાવર જીવો કહેવાય છે. આ સ્થાવર જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે, અને બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો. ત્રણ છે. તેમાં શ્રાવક જીવનનિર્વાહ માટે સ્થાવરની હિંસાનો ત્યાગ કરી શકતો નથી. તેથી તેમાં જયણા (છટ) રાખી શ્રાવક ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે. આમ ત્રસ અને સ્થાવર બન્નેની હિંસામાંથી માત્ર ત્રસની હિંસાનો ત્યાગ થવાથી ૧૦૦% માંથી તેની દયા માત્ર ૫૦% ની થઈ જાય. વળી, શ્રાવક ત્રસ જીવોને પણ “આને મારું', તેવા સંકલ્પપૂર્વક હિંસા નથી કરતો, તોપણ અનેક પ્રકારના આરંભ-સમારંભના કાર્યો તેને કરવાં જ પડે છે, જેમ કે રસોઈ બનાવવી વગેરે. આ આરંભ-સમારંભ કરતાં શ્રાવકને ત્રસ જીવોની હિંસા થવાની સંભાવના રહે છે. આ કારણથી શ્રાવક “સંકલ્પપૂર્વક હું ત્રસ જીવોને નહિ મારું', તેવો નિયમ કરી શકે છે, પરંતુ આરંભ-સમારંભમાં થતી હિંસાથી તે બચી શકતો નથી. આથી આરંભની પ્રવૃત્તિમાં જયણા કરી સંકલ્પપૂર્વક અર્થાત્ ઈરાદાપૂર્વક જાણી બુઝીને ત્રસ જીવોને ન મારવા એવું વ્રત સ્વીકારે. આમ ૫૦% માંથી તેની દયા ૨૫% ની થઈ જાય. વળી સંકલ્પપૂર્વક ત્રસ જીવોને નહિ મારું, આવું વ્રત પણ શ્રાવક સર્વથા સ્વીકારી શકતો નથી; કેમ કે જવાબદારીના સ્થાને બેઠેલા શ્રાવકને ચોરી વગેરે વિનાશકારી. અનૈતિક પ્રવૃત્તિઓ કરનાર કે અન્ય પ્રકારના અપરાધીઓને સજા કે દંડાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડે છે; આથી તે અપરાધી એવા ચોર, ડાકુ, નોકર-ચાકર કે પોતાના પુત્ર-પરિવારને દંડાદિરૂપ હિંસા કરવામાં જયણા રાખી નિરપરાધી ત્રસ જીવોની હિંસાનો નિયમ કરે. આમ તેની દયા ૨૫% માંથી ૧૨.૫% ની થઈ જાય. વળી નિરપરાધી પણ સર્વજીવોની હિંસાનો ત્યાગ શ્રાવક કરી શકતો નથી, તેથી નિરપરાધી એવા પણ પુત્ર-પરિવાર, દાસ-દાસી કે પશુ-પક્ષીને ખોટી પ્રવૃત્તિથી બચાવવા, ધમકાવવા પડે કે તાડન-તર્જન કરવું પડે. માટે આવાં કારણથી આટલી છૂટ રાખી, “સંકલ્પપૂર્વક, નિરપરાધી ત્રસ જીવોની નિષ્કારણ હિંસા નહી કરું” તેવો નિયમ શ્રાવક સ્વીકારે છે. આમ તેની દયા ૧૨.૫% માંથી ૬.રપ%ની થઈ જાય.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy