SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુ′′રવરદી સૂત્ર પહોંચવામાં કારણ બની શકે છે. આથી શ્રુતધર્મને ચારિત્રધર્મની વૃદ્ધિનું કારણ કહેલ છે. જે શ્રુતના કારણે સંયમના પરિણામ વૃદ્ધિમાન થાય છે, તે સંયમ કેવું છે તે બતાવતાં કહે છે કે - વેવ-નાળ-સુવન્ન-જિન્નર-ગળ-સ્વમૂત્ર-માવગ્નિપ્ વૈમાનિક દેવો, નાગકુમા૨, સુવર્ણકુમા૨, ભવનપતિ દેવો, (તથા) કિન્નર દેવોના સમૂહ વડે સત્યભાવથી પૂજાયેલ છે. ૨૭૩ W સંયમ જ સુખનું કારણ છે, સંયમ જ ઉપાદેય છે, આવી શ્રદ્ધા હોવાના કારણે જ ચારે નિકાયના દેવો ઉપચારથી નહિ, પરંતુ હૃદયના સાચા ભાવથી સંયમને પૂજે છે, સંયમી આત્માની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, અનેક પ્રકારે તેમને સંયમમાં સહાયક બને છે. મહાન શક્તિવાળા ઈન્દ્રો કે વિકાર વિનાના મનવાળા અનુત્તરવાસી દેવો સતત સંયમને ઝંખે છે. તોપણ તેઓ ચોથા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી. આથી જ તેઓ સંયમી આત્મા પ્રત્યે અત્યંત આદરવાળા હોય છે અને પોતાનાં ચારિત્ર-મોહનીય કર્મ ખ઼પાવવા તેમની ભક્તિમાં સદા રત રહે છે. 9. હોનો-નત્ય પટ્ટિયો - જેમાં (જે જિનમતમાં) જ્ઞાન પ્રતિષ્ઠિત છે. લોક શબ્દનો અર્થ જ્ઞાન° થાય છે. એટલે આત્મકલ્યાણ કરે તેવું સર્વ પ્રકારનું જ્ઞાન આ જૈનમતમાં રહેલું છે. જૈન સિદ્ધાંતોની રચના એવા પ્રકારે થયેલી છે કે, તેનો અભ્યાસ કરનાર આત્માને સર્વ વિષયનું જ્ઞાન થાય છે. કોઈ વિષય એવો નથી કે જેની જૈન સિદ્ધાંત ભણનાર આત્માને ખબર ન હોય. પછી ભલે જ્યોતિષ ગ્રંથ હોય કે સંગીત શાસ્ત્ર હોય. શિલ્પશાસ્ત્ર હોય કે વાસ્તુશાસ્ત્ર હોય, સર્વ વિષય સંબંધી જ્ઞાન જૈન સિદ્ધાંતમાંથી મળી શકે છે. વળી, જૈનશાસ્ત્રોની વિશિષ્ટતા એ છે કે તે આ સર્વ જ્ઞાનને આત્મહિતકર બનાવી શકે છે. 8. ‘હોન હોજઃ જ્ઞાનમેવ' લોક=જ્ઞાન સ્વનિરૂપિતજનકતાસંબંધથી વચનરૂપી જિનમતમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે=રહેલું છે. જિનમત=જનક અને જ્ઞાન=જન્ય.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy