SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ આત્મિકભાવને મેળવવાની ઝંખના, તે જ દર્શનમોહનીયકર્મે બિછાવેલી ભ્રમ કે બુદ્ધિના વિપર્યાસરૂપ જાળનો નાશ છે. ૨૬૪ મારા અને પરાયાનો ભ્રમ ભાંગતાં સત્ત્વશાળી પુરુષો સંયમના માર્ગે આગળ વધે છે. સંયમ અને તપની સાધના કરતાં વિશિષ્ટ પ્રકારે શાસ્ત્રનો અભ્યાસ કરે છે. શાસ્ત્રયોગ દ્વારા સામર્થ્યયોગને? પ્રાપ્ત કરી એના દ્વારા ચારિત્રમોહનીય કર્મને જડમૂળથી એવી રીતે ખતમ કરી નાંખે છે કે, પુનઃ ક્યારે પણ તેની પ્રાપ્તિ થતી નથી. આ જ મોહનું પ્રસ્ફોટન છે. પુનઃ બંધમાં કે સત્તામાં ક્યાંય ન આવી શકે તેવો મોહનો નાશ તે જ મોહનીયની જાળનું પ્રસ્ફોટન કહેવાય છે. જિજ્ઞાસા : શ્રુતજ્ઞાનને મોહનું સ્ફોટન કરે છે, તેમ ન કહેતા મોહનું પ્રસ્ફોટન કરે છે તેમ શા માટે કહ્યું ? તૃપ્તિ : મોહને થોડા સમય પૂરતો .ઉદયમાં ન આવવા દેવો તે એક અપેક્ષાએ મોહનું સ્ફોટન છે અને સમૂળ મોહનો નાશ કરવો તે પ્રસ્ફોટન છે. ભારેકર્મી આત્માઓ ઘણીવાર સંયમ જીવન સ્વીકારીને શબ્દરૂપે શાસ્ત્રનો અભ્યાસ કરે છે. તેના કારણે ‘કષાયો કરવાથી દુર્ગતિ મળે છે અને દુર્ગતિમાં દુ:ખો સહન કરવાં પડશે,' એવું જ્યારે તેઓ જાણે છે ત્યારે દુઃખના ડરથી અને સુખની ઈચ્છાથી તેઓ પણ જીવનકાળ દરમ્યાન કષાયો ન થાય તેની કાળજી રાખે છે, ત્યારે આપાતથી - પ્રથમ નજ઼રે મોહ ઓછો થયો હોય તેમ લાગે છે. આ મોહનું મોળા પડવું તેને અપેક્ષાએ મોહનું સ્ફોટન કહેવાય છે અને જ્યારે યોગ્ય આત્માઓ કોઈપણ પ્રકારની આશંસા વિના ગુર્વાદિના વિનયપૂર્વક શ્રુતનો અભ્યાસ કરે છે, ત્યારે તે આત્મા શ્રુતજ્ઞાન દ્વારા પદાર્થની વાસ્તવિકતાને જાણી શકે છે. આથી તે જડ પદાર્થોથી, ભૌતિક સમૃદ્ધિથી વિરક્ત બને છે. વૈરાગ્યપૂર્વક ત્યાગના માર્ગે આગળ વધતાં તેને અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનુભવજ્ઞાન દ્વારા તે મોહનીય કર્મનો મૂળથી નાશ કરે છે, ત્યારે શ્રુતજ્ઞાનથી મોહનું પ્રસ્ફોટન થયું એમ કહેવાય છે. શાસ્ત્રાભ્યાસ વિનાના સંસારી જીવો તો બિચારા મોહની જાળને જોઈ પણ શકતા નથી તો ભેદવાની તો વાત જ ક્યાં ? જ્યારે શાસ્ત્રવેત્તા પુરુષો આ ૩. સામર્થ્યયોગની વિશેષ સમજણ માટે “નમોત્થણં સૂત્ર”ની ફૂટનોટ નં. ૧ જોવી. 4. અનુભવ જ્ઞાન : કષાયો જ્યારે શાંત પડે છે, ઉપશમર્ભાવની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માની કાંઈક ઝાંખી થાય છે. આત્મા પોતાના સ્વભાવને કાંઈક અનુભવી શકે છે. તેને અનુભવ જ્ઞાન કહેવાય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy