SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સૂત્રસંવેદના-૨, વળી, જૈન આગમમાં બતાવેલા માર્ગ પ્રમાણે જીવવાથી સૂક્ષ્મ કે બાદર કોઈપણ જીવની દ્રવ્યથી કે ભાવથી મન-વચન કે કાયાથી અને કરણ કરાવણ કે અનુમોદનથી હિંસા ન થાય તેવી રીતે સંપૂર્ણ જીવન વ્યતીત કરી શકાય છે, આવી અહિંસાની વાતો કે અહિંસાનું સંપૂર્ણ આચરણ કરી શકાય તેવી વ્યવસ્થા જૈન શાસ્ત્રમાં બતાવી છે. અહિંસાનો સિદ્ધાંત તો સર્વ ધર્મોમાં સ્વીકારાયો છે; પરંતુ જીવોને થતી પીડાનું સૂક્ષ્મતમ વર્ણન તથા તે તે જીવોની હિંસાથી કઈ રીતે બચવું તેઓને થતી પીડાઓથી કેમ અટકવું તેના ઉપાયોનું વર્ણન જે રીતે જૈનશાસ્ત્રોમાં છે તેવું અન્યત્ર જોવા મળતું નથી. ચૂળ-વે, ગુરુમ-મ-સં@11 દૂરપાર સાર - ચૂલિકારૂપી મોટી વેલાઓ જેમાં છે, મોટા અને સરખા પાઠરૂપી મણિથી જે વ્યાપ્ત છે, જેનો કિનારો દૂર છે શ્રેષ્ઠ (એવા તે વીર પ્રભુના આગમને હું સમ્યગુ પ્રકારે સેવું છું.) ઘૂા-વેરું : પૂનમના દિવસે જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે, ત્યારે પાણી ઘણું ઊંચુ, ઊંચુ ઉછળતું હોય છે, એને વેલા કહેવાય છે. આવી લહેરીઓથી પણ જલધિ નયનરમ્ય લાગે છે. તે જ રીતે જૈનાગમરૂપ સમુદ્રમાં પણ આગમગ્રંથોની રચના કર્યા પછી તે શાસ્ત્રોના ભાવોને વિશેષ પ્રકારે દર્શાવવા ચૂલિકાની રચના કરવામાં આવે છે. આવી ચૂલાઓથી જૈનાગમરૂપી સાગર પણ અત્યંત સુંદર લાગે છે. ગુરુમ-મળી-સં@૪ : સાગરને રત્નાકર કહેવાય છે. કેમ કે તેના તળિયે અનેક જાતના બહુમૂલ્ય અને નયનરમ્ય રત્નો પલ્લાં છે. તે જ રીતે જૈનાગમરૂપી સમુદ્ર મોટા અને સરખા આલાપકરૂપી મહામૂલા રત્નોથી ભરેલો છે. રત્ન જેમ મહાસમૃદ્ધિનું કારણ બને છે. તેમ આ આલાપકો આત્માની ગુણસમૃદ્ધિનું કારણ બને છે, આથી જ જૈનાગમનું મૂલ્ય અમૂલ્ય છે. દૂરપારં : વિશાળ પટ ઉપર પથરાયેલ સમુદ્રનો પાર=છેડો દુઃખે કરીને પામી શકાય છે, તેમ અનંત અર્થથી ભરેલાં શાસ્ત્રોનાં રહસ્યને પામવા ખૂબ મુશ્કેલ હોય છે. તીક્ષ્ણ બુદ્ધિવાળા ચૌદ પૂર્વધર સિવાય ભગવાનના શાસ્ત્રોનો પાર કોઈ પામી શકતું નથી. ચૌદ પૂર્વધર પણ શબ્દથી પ્રાપ્ત પદાર્થના અનંતા ભાવો જાણવા છતાં પણ બીજા અનંતા ભાવોને જાણી શકતા નથી. અનંતા ભાવોને જાણવાની શક્તિ તો સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈની નથી. 11. ગુરુ એવો ગમે તે ગુરુ-મે તે રૂ૫ મળી અને તેના વડે સંજુ તે પુરુ-મ-ળી-સંશુ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. મળી શબ્દ દીર્ધાન્ત પણ મળે છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy