SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સૂત્રસંવેદના-૨ આત્માની કર્મરહિત, કષાયરહિત અને શરીરાદિના બંધનથી રહિત પરમ આનંદમય, પરમ સુખમય અવસ્થા મોક્ષ (નિર્વાણ) છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેમાં નિશ્ચયનયથી તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ભેગા મળીને જ મોક્ષનું કારણ બને છે, જ્યારે વ્યવહારનયથી તો મોક્ષને પ્રાપ્ત કરવામાં કારણભૂત દર્શન, જ્ઞાન અને ચારિત્રની કોઈ એક ક્રિયા પણ મોક્ષનું કારણ બને છે. આ બન્નેમાંથી કોઈપણ પ્રકારનો માર્ગ જ્ઞાનથી જ જાણી શકાય છે, માટે અહીં જ્ઞાનને મુખ્યપણે મોક્ષમાર્ગનું શ્રેષ્ઠ યાન એટલે વાહન કહ્યું છે. વળી જ્ઞાન થયા પછી શ્રદ્ધા થાય છે અને શ્રદ્ધા અનુસાર પ્રવર્તન એ જ ચારિત્ર છે, આથી જ જ્ઞાનને મોક્ષમાર્ગે આગળ વધવા માટેનું શ્રેષ્ઠ યાન કહ્યું છે. શ્રેષ્ઠ વાહન જેમ શીધ્ર ઈષ્ટ સ્થાને પહોંચાડે છે, તેમ જેઓ ભગવાનના વચનરૂપ શ્રેષ્ઠ યાનનું અવલંબન લે છે, તે આત્માઓ પણ શીધ્ર ઈષ્ટ સ્થાને પહોંચે છે. પાસિયાસ-વીરૂ - સઘળા કુવાદીઓના અભિમાનનો જેણે સમૂળગો નાશ કર્યો છે એવા જિનમતને હું નમસ્કાર કરું છું.) સત્ય શું છે' - એ રૂપ તત્ત્વ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રોની – સિદ્ધાંતની ચર્ચા કરવી તે વાદ છે. શાસ્ત્રાનુસાર આ વાદ કરનારને વાદી કહેવાય છે. જ્યારે મલિન આશયથી કે પોતાની ખોટી વાતને પણ સાચી ઠરાવવા માટેની ચર્ચા તે કુવાદ કહેવાય છે અને આવી ચર્ચા કરનારને કુવાદી કહેવાય છે. કુવાદીઓ મોટે ભાગે મિથ્યાભિમાનમાં રાચતા હોય છે. પોતાના અલ્પ અને મિથ્યાજ્ઞાનથી તેમને પોતે જ્ઞાની છે એવો ભ્રમ હોય છે. આ ભ્રમના કારણે તેઓ સર્વજ્ઞ કથિત શાસ્ત્રોના અનેકાન્તવાદ કે સ્યાદ્વાદને સમજી શકતા નથી અને પોતાની ટૂંકી દૃષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરી જગતમાં આત્મા એકાન્ત નિત્ય છે. બ્રહ્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ વગેરે વગેરે કુવાદો પ્રવર્તાવે છે. આ કુવાદો પ્રમાણે જગતની વ્યવસ્થા કોઈ રીતે સંગત થતી નથી. આત્માને એકાંતે નિત્ય માનનાર કુવાદીઓ પદાર્થના બદલાતા પર્યાયો. તેનો વિનાશ વગેરે ઘટાવી શકતા નથી. તો વળી, આત્માને એકાંતે અનિત્ય માનનારાની અપેક્ષાએ કર્મના સિદ્ધાંતો કાર્ય-કારણની વ્યવસ્થા બદલાતા પર્યાયોમાં પણ એક જ દ્રવ્યની અનુવૃત્તિ વગેરે ઘટાડી શકાતા નથી. આથી જ એકાંતવાદીઓના સિદ્ધાંતો કે તેમની પ્રરૂપણા અને વાસ્તવિકતા વચ્ચે ઘણો ભેદ (ફરક) જોવા મળે છે. આમ છતાં મિથ્યા અભિમાનથી તેઓ કહે છે
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy