SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્લાણ-કંદ સૂત્ર सव्वे जिनिंदा सुरविंदवंदा, कल्लाण-वल्लीण विसालकंदा દેવગણે પણ જેમને વંદન કર્યા છે અને જેઓ કલ્યાણકારી વેલના વિશાલ કંદ સમાન છે તે સર્વે જિનેશ્વરો (મને મોક્ષસુખ આપો.) ૨૨૭ - વિશિષ્ટ બુદ્ધિ અને શક્તિથી યુક્ત હોવાથી દેવોને વિબુધ કહેવાય છે. સમ્યગ્ પ્રકારની બુદ્ધિને ધારણ કરનારા દેવો પોતાની બુદ્ધિથી પરમાત્મામાં રહેલા લોકોત્તમ ગુણોને જાણે છે. તેથી જ તેમને પરમાત્મા પ્રત્યે અત્યંત અહોભાવ થાય છે. હૈયું તેમના ગુણો પ્રત્યે ઓવારી જાય છે. આથી વંદન, પૂજન, સત્કાર, સન્માન, ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે અનેક પ્રકારે તે પરમાત્માની ભક્તિ કરે છે. આ પદ બોલતાં આ રીતે દેવોનો સમૂહ જેઓને વંદન કરતો હોય એવા પરમાત્માને ઉપસ્થિત ક૨વાથી આપણામાં પણ ભગવાન પ્રત્યે અપૂર્વ ભક્તિ અને બહુમાનનો ભાવ ઉત્પન્ન થાય છે. વળી, સર્વ અરિહંત ભગવંતો કલ્યાણકારી-સુખકારી વેલડીના વિશાળ મૂળ સમાન છે. મૂળીયા જેટલા વિશાળ અને મજબૂત હોય વૃક્ષ તેટલું વધુ સમય ટકે છે. અરિહંત ભગવંતોની જેઓ નિરાસભાવે ભક્તિ કરે છે તેમના વચનનું યથાર્થ પાલન કરે છે તેઓ પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન કરે છે. આ પુણ્ય ઉત્તરોત્તર ભૌતિક સુખ અપાવવા દ્વારા, આંત્મિક શુદ્ધિ કરાવી સાધકને પરમપદ સુધી પહોંચાડે છે. આમ પરમપદ સુધી પહોંચવાનું પરમ કારણ પ્રભુ હોવાથી પ્રભુને કલ્યાણરૂપ વૃક્ષનામૂળ કહેવાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે - “હું સંસારમાં ડૂબેલો છું મારા પ્રભુ તેના પારને પામી ગયા છે. પુણ્યહીન એવો હું દેવોની પાછળ દોડું છું જ્યારે પુણ્યવાન એવા દેવતાઓ મારા પ્રભુની પાછળ દોડે છે, ભાવપૂર્વક ભક્તિ કરે છે. હે નાથ ! આપની ક્તિ અને આપનું પુણ્ય અમાપ છે તેથી જ પ્રભુ આપને એક પ્રાર્થના કરું છું આપ મને સર્વસુખના ઘામ તુલ્ય શિવ | મોક્ષને આપો !” હવે શ્રુતજ્ઞાનની સ્તવના કરતાં કહે છે निव्वाण - मग्गे वरजाण - कप्पं મોક્ષ સુધી લઈ જનાર શ્રેષ્ઠ યાનપાત્ર (વિમાન) તુલ્ય (શ્રુતજ્ઞાનને હું નમસ્કાર કરું છું.)
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy