SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અરિહંતચેઈયાણં સૂત્ર ૧૯૭ ૨ નિમિત્ત સંપદા : . वंदणवत्तियाए पूअणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहि लाभवत्तियाए निरुवसग्गवत्तियाए । આ પદો કાઉસગ્ન કરવાનું નિમિત્ત સૂચવે છે તેથી તેને નિમિત્ત સંપદા કહેવાય છે. ૨ હેતુ સંપદા : सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं ।। આ સાત પદોમાં કાઉસ્સગ્ન સમ્યગૂ રીતે નિષ્પન્ન થાય તેના ઉપાયો દર્શાવ્યા છે, તેથી તેને હેતુ સંપદા કહેવાય છે. વિશેષાર્થ : રિહંતરેફયારેમિ - અહંતુ ચૈત્યોના (વંદનાદિ નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. જેઓ રાગ-દ્વેષ આદિ દોષોથી રહિત છે, અનંત જ્ઞાનાદિ ગુણોથી સહિત છે, વળી દેવ અને દેવેન્દ્રો પણ જેમની આઠ મહાપ્રાતિહાર્યથી પૂજા કરે છે તેમને અરિહંત' કહેવાય છે. આ અરિહંત પરમાત્માની મૂર્તિ, મંદિર કે સૂપ આદિને “ચૈત્ય' કહેવાય છે. નિર્વિકારી અરિહંત પરમાત્માની પ્રતિમાનું દર્શન યોગ્ય આત્માના ચિત્તમાં આલ્લાદ ઉત્પન્ન કરે છે, સમાધિભાવને પ્રગટાવે છે અને ચિત્તપ્રસન્નતાનું કારણ બને છે. ચિત્તના શુભભાવનું કારણ બનતું હોઈ અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે. 1. અરિહંતની વિશેષ સમજ માટે જુઓ “નવકાર મંત્ર.' - સૂત્રસંવેદના ભા. ૧ 2. વિત્તમ્ - અન્ત:કર, તસ્ય ભાવ: વા, વદવિચૂક્ષ ગ ('વદઢાJિ :ગ્ન, પા. 4१-१२३) कृते 'चैत्यं' भवति । तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादर्हचैत्यानि भण्यन्ते । - લલિતવિસ્તરા ચિત્ત શબ્દને ગમ્ પ્રત્યય લાગીને આ શબ્દ બન્યો છે. તેનો અર્થ વિત્ત એટલે અંતઃકરણ અને તેનો ભાવ તે ચૈત્ય અથવા ચિત્તનું કર્મ (કાર્ય) તે ચૈત્ય છે (અથવા) ચૈત્યં નિનો: / તવિ-G– અભિધાન ચિંતામણી કોષ કર્મનો અર્થ ક્રિયા પણ થાય છે, ત્યારે ચિત્તની = અંત:કરણની ક્રિયા તે ચૈત્ય. અરિહંતની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે. તેથી અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy