________________
જયવીયરાય સૂત્ર
૧૯૧
જિજ્ઞાસા : કર્મના ક્ષયથી દુઃખનો ક્ષય થવાનો જ છે, તો દુઃખક્ષયની માંગણી જુદી કેમ કરી ?
તૃપ્તિ કર્મના ક્ષયથી દુઃખનો નાશ થવાનો છે, તે બરાબર છે. પરંતુ કર્મનો ક્ષય સાધના કર્યા વિના થઈ શકતો નથી અને સાધના મનની સ્વસ્થતા વિના થતી નથી. અલ્પસત્ત્વવાળા સાધકો ગમે તેવા સંયોગમાં મનની સ્વસ્થતા ટકાવી શકતા નથી, તેથી અહીં દુઃખના ક્ષયથી સાધનામાં વિઘ્ન કરનાર દુઃખનો નાશ માંગ્યો છે, સર્વ દુઃખનો નહિ, વિષ્ન કરનાર દુ:ખના ક્ષયથી મનની સ્વસ્થતા પ્રાપ્ત થશે તેથી સાધના થશે અને તેનાથી કર્મનો ક્ષય થશે માટે આ માંગણી યોગ્ય જ છે. કર્મનો ક્ષય; સમાધિ અને બોધિથી થાય છે. તેથી હવે તેની માંગણી કરે છે. સમાદિકરળ અને સમાધિપૂર્વકનું મરણ. “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને “સમાધિ મરણ” પ્રાપ્ત થાઓ !” સમાધિ = દુઃખ અને સુખના સંયોગમાં સમાન બુદ્ધિ, ચિત્તની સ્વસ્થતા. સુખના સંયોગમાં રાગ-ઉત્સુક્તાદિ કૃત ચિત્તની વિહ્વળતા નહિ અને દુઃખના સમયમાં દ્વેષ, અરુચિ કે, અણગમાકૃત ચિત્તની વિહ્વળતા નહિ. જો કે, વિશેષ પ્રકારના સુખ-દુઃખમાં મનને સ્વસ્થં રાખવું, સમાધિમાં રાખવું તે મુશ્કેલ છે. તેમાંય મરણ વખતે તો માનસિક અને શારીરિક વેદનાઓ અસહ્ય હોય છે. આ વેદના વચ્ચે મનને સમાધિમાં રાખવું કપરું બને છે, વળી અંત સમયે જો મન સમાધિમાં ન રહે તો સદ્ગતિ થતી નથી અને સદ્ગતિ વિના ધર્મસાધના સુંદર રીતે થઈ શકતી નથી. આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલા આ સંસારમાં સમાધિ અતિદુર્લભ છે. તેમ જ સમાધિના અખૂટ ભંડારસમા અરિહંત પરમાત્મા પાસે તેની માંગણી કરવાથી તે અવશ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે સમાધિ વગરના અન્યદેવ કે મનુષ્યો પાસે સમાધિની માગણી સફળ નથી થતી. આથી જ આ પદ બોલતાં સાધક પ્રભુને પ્રાર્થના કરે છે - “હે ભગવાન ! તમને કરેલા પ્રણામથી મને સમાધિ મરણની પ્રાપ્તિ થાઓ !.. જેથી મારે સંસારમાં પુનઃ પુનઃ ભટકવું ન પડે.”
જિજ્ઞાસા ? અહીં સમાધિમય જીવન ન માગતાં સમાધિમરણ માંગ્યું તેનું કારણ શું ?
તૃપ્તિ ઃ પ્રાણીમાત્રને મરણનું દુઃખ અસહ્ય હોય છે. મરણ વખતે તે જ આત્મા સમાધિ રાખી શકે, જેણે જીવન દરમ્યાન સમાધિ માટે પ્રયત્ન કર્યો