________________
ઉવસગ્ગહરં સૂત્ર
विषयाणां ततो बंध-जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बन्धो-ज्ञानिनां तु न कर्हिचित् ।। सेवते ऽसेवमानोऽपि, सेवमानो न सेवते ।
૧૪૯
અધ્યાત્મસાર-૫:૨૪-૨૫
વિષયોના ભોગથી એકાંતે? કર્મબંધની પ્રાપ્તિ છે, તેવો કોઈ નિયમ નથી, કેમકે, અજ્ઞાની આત્માઓ જે વિષયોના ભોગથી કર્મબંધ કરે છે. તે જ વિષયોના ભોગથી જ્ઞાની પુરુષો કર્મનાશ કરે છે.'
આથી જ કહ્યું છે કે, વિષયો ઉ૫૨ની આસક્તિવાળો જીવ વિષયોનું સેવન ન કરવા છતાં સેવે છે અને જ્ઞાની પુરુષો વિષયોને સેવતાં છતાં પણ તેમાં આસક્તિ ન હોવાથી સેવતા નથી, એમ કહેવાય. અહીં આ જ વાતને જણાવતાં પૂ. રૂપવિજયજી મહારાજા પંચકલ્યાણકની પૂજામાં જણાવે છે કે - સમ્યગ્દર્શન ગુણને વરેલા તીર્થંકરના આત્માઓ ...
ભોગ કરમ ફળ રોગ તણી પરે, 'ભોગવે રાગ નિવારી રે,
પરવાળા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે... શ્રી જિનરાજ આ ગાથા બોલતાં સાધક વિચા૨ે કે,
“આ જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો પ્રભુ તારું સમ્યગ્દર્શન છે. તારી ભક્તિના પ્રભાવે એકવાર પણ જો આ ગુડ઼ા મને પ્રાપ્ત થઈ જાય તો મારી મોક્ષપ્રાપ્તિ નિશ્ચિત થઈ જાય !”
આવી સંવેદના સાથે, આવા ભાવપૂર્વક જો આ ગાથા બોલવામાં આવે તો સાધક આ ગુણને સહજતાથી કેળવી શકે છે.
સમ્યક્ત્વનું મહત્વ જણાવી હવે તેની પ્રાર્થના કરે છે.
7. આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયથી પાંચે ઈન્દ્રિયના વિષયો કર્મબંધનું કારણ મનાતા નથી, પરંતુ વિષય ઉપભોગકાળમાં થતો રાગાદિનો પરિણામ કર્મબંધનું કારણ છે. પરમ વિવેકને વરેલા, જડ પદાર્થોને પોતાનાથી ભિન્ન જોતા જ્ઞાનીપુરુષો કર્મોદયથી કદાચ વિષયોમાં પ્રવૃત્તિ કરે, તો પણ તેમાં રંગાતા નથી, આવા અનાસક્ત પુરુષો માટે વિષયો કર્મબંધનું કારણ નથી.
જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ પાંચે ઈન્દ્રિયના વિષયો કર્મબંધનું કારણ મનાય છે. કેમ કે મોટેભાગે વિવેક વિહીન અજ્ઞાની પુરુષો વિષયના ઉપભોગમાં રાગાદિભાવો કરે છે અને તેનાથી તેને કર્મબંધ થાય છે. જ્યારે બહુલતાને સામે રાખી વ્યવહારનયથી વિષયો કર્મબંધનું કારણ મનાય છે.