SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સૂત્રસંવેદના-૨ પૂર્ણ પાલન કરવા સ્વરૂપ ભગવાનની શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજા કરી શકે. આ પૂજાનું સામર્થ્ય પોતાનામાં આવે તેટલા માટે જ ભગવાનની સ્તવના કરતાં, જે મુનિભગવંતો આવી શ્રેષ્ઠ કોટીની ભગવાનની પૂજા કરી રહ્યા છે, તે મુનિભગવંતોને સ્મૃતિપથમાં લાવી શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજાના અભિલાષ-પૂર્વક તેમને વંદના કરે છે. આમ ચૈત્યવંદનમાં મુનિભગવંતોને વંદના કરવી તે પણ યોગ્ય લાગે છે. આ સૂત્ર બોલી ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરનારી સર્વ સાધુ ભગવંતોને વંદના કરી સાધક વિચારે છે - ધન્ય છે આ મુનિ ભગવંતોને, જે પૂર્ણપણે ભગવાનની આજ્ઞા અનુસાર જીવન જીવે છે. તેથી આજ્ઞાપાલનpય શ્રેષ્ઠ ભક્તિ તો તેઓ જ કરે છે, હું તો માત્ર દ્રવ્યથી જ ભગવાનની ભક્તિ કરું છું, પરંતુ આ મુનિ ભગવંતોને વંદના કરતાં મારામાં યક્ષ એવી શક્તિ આવે. મારું એવું સજ્જ ખીલે કે, હું ય સ્માત્માની પ્રતિત્તિપૂજા કરી, કર્મ અપાવી સંસારસાગનો પાર પામી શકું !” 2. પ્રતિપત્તિ પૂજાની વિશેષ સમજણ માટે ‘ભૂમિકા' જુઓ.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy