________________
મૂળ સૂત્ર ઃ
જાવંત કે વિ સાહૂ સૂત્ર
ખાવંત. જે વિસાદૂ, મરદેરવવ-મહાવિવેદે ગ । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड - विरयाणं ।।
૫૪-૪ : સંપદા-૪ : અક્ષર-૩૮
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ
:
भररवय-महाविदेहे अ जावंत के वि साहू । भरतैरवत - महाविदेहे च यावन्तः केऽपि साधवः ।
ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈ સાધુભગવંતો છે,
तिदंड - विरयाणं तेसिं सव्वेसिं तिविहेण पणओ ||
त्रिदण्ड- विरतेभ्यः तेभ्यः सर्वेभ्यः त्रिविधेन प्रणतः ।।
ત્રણ દંડથી વિરામ પામેલા, તે સર્વ (સાધુભગવંતો)ને, (મન, વચન અને કાયા : એમ) ત્રણ પ્રકાર(ના યોગ)થી હું નમેલો છું. અર્થાત્ હું નમસ્કાર કરૂં છું.
વિશેષાર્થ :
जावंत के वि साहू, भरहेरवय - महाविदेहे अ ઐ૨વતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈપણ સાધુ ભગવંતો છે.
૧૩૧
-
ભરતક્ષેત્ર,
૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યલોક છે. તેમાં ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રરૂપ ૧૫ કર્મભૂમિઓ છે. આ કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યને જ સાધુપણાને યોગ્ય પરિણામો થઈ શકે છે. કર્મભૂમિ સિવાય અન્ય સ્થળે જન્મેલા માટે આવાં પરિણામ શક્ય નથી. તેથી કહે છે - ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈપણ સાધુ ભગવંતો છે.
1. અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર છે. આ અઢી દ્વીપમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ છે. તેને ફરતો ૨ લાખ યોજન પ્રમાણ લવણસમુદ્ર છે. તેને ફરતો ૪ લાખ યોજન પ્રમાણ ધાતકીખંડ છે. તેને ફરતો ૮ લાખ યોજન પ્રમાણ કાલોદધિસમુદ્ર છે અને તેને ફરતો ૧૬ લાખ યોજન પ્રમાણ પુષ્કરાવર્ત નામનો દ્વીપ છે કે, જે દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત સુધી જ મનુષ્યોની વસ્તી છે. એટલે તે દ્વીપ અર્ધો ગણાય છે. તેની બહાર કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ થતાં નથી. આમ