SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જાવંત કે વિ સાહુ સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા, ત્રણ દંડથી વિરામ પામેલા, સર્વ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. તેથી તેનું બીજું નામ “સવ્વસાહુવંદણ' સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ મુખ્યપણે ચૈત્યવંદનની ક્રિયામાં અને વંદિત્તાસૂત્રની ૪૫મી ગાથા તરીકે થાય છે. ચૈત્યવંદનની ક્રિયામાં વિશેષ પ્રકારે અરિહંતના ગુણોની સ્તવનાસ્વરૂપ નમોડયૂણે સૂત્ર બોલ્યા પછી પ્રણિધાનમુદ્રામાં આ સૂત્ર બોલવામાં આવે છે. પરમાત્માની ભાવભક્તિ કરવાનું કાર્ય અતિકપરું છે. મુનિભગવંતો પ્રભુની પ્રતિપત્તિ પૂજા કરી આ કપરું કાર્ય કરી રહ્યા છે આ સૂત્રો દ્વારા સાધક પોતાનામાં ભાવભક્તિ કરવાનું પ્રતિપત્તિ પૂજા કરવાનું સામર્થ્ય પેદા થાય તે માટે ભાવભક્તિ કરી રહેલા સર્વ સાધુઓને વંદન કરે છે. સાધુભગવંતો પણ શ્રેષ્ઠ કોટિના સર્વ સાધુભગવંતોને નજર સમક્ષ લાવી તેમના જેવી શ્રેષ્ઠ નિષ્કષાયભાવની ભક્તિ પોતાનામાં પણ પ્રગટે એવા ભાવ સાથે વંદના કરે છે. ભાવપૂર્વક આ સૂત્ર બોલવાથી સાધકમાં સમ્યગુ ચૈત્યવંદન કરવાનું મહાસામર્થ પ્રગટે છે. દરેક ક્રિયાઓમાં ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય આપવાની વૃત્તિ વધતી જાય છે અને મુનિભાવ પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી પોતાના પણ મુનિપણાનાં પ્રતિબંધક કર્મો શિથિલ થાય છે, ભક્તિનું તત્કાળ અપેક્ષિત ફળ આ જ છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy