SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સૂત્રસંવેદના-૨ “હે નાથ ! બહુમાનપૂર્વક આપને કરાયેલો આ નમસ્કાર અમાણ રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ દોષના નાશને કારણે બનો !” આ પદ બોલીને પરમાત્માને નમસ્કાર કરી, તેમના વચનને અનુસરી, હું પણ આવા ભાવને પામું; એવો ભાવ વ્યક્ત કરવાનો છે. આ બન્ને પદો દ્વારા સ્તોતવ્ય સંપદાની “સકારણ સ્વરૂપ સંપદા કહેવાઈ. સકારણ એટલા માટે કહેલ છે કે, જ્યારે ભગવાન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા થાય છે, ત્યારે જ સ્તુતિ કરવા યોગ્ય થાય છે અને વર જ્ઞાનદર્શનધરપણું છ% (છાઘસ્થિકભાવ) ગયા વિના પ્રાપ્ત થતું નથી. હવે પછીનાં પદો દ્વારા ભગવાને જે ફળ પ્રાપ્ત કર્યું છે, તે જ ફળ તેઓ પોતાના ભક્તને આપે છે, તે જણાવતાં - “આત્મતુલ્ય-પરફલ-કર્તુત્વ' નામની આઠમી સંપદાને કહે છે - . નિપાપ નાવિયા (નમોજુ ) ; (અંતરંગ શત્રુઓને) જીતનારા અને જીતાડનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) આ સંસારમાં પ્રાપ્ત થતાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ આદિ સર્વ દુઃખોનું મૂળ કારણ રાગ, દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ છે. શ્રી તીર્થંકરદેવે આ શત્રુઓને સ્વયં જીતી લીધા છે અને સદુપદેશ આદિ દ્વારા યોગ્ય આત્માઓને આ કષાયોથી જીત મેળવવામાં માર્ગદર્શન આપવારૂપે સહાય પણ કરી છે, તેથી તે અંતરંગ શત્રુને જીતનાર અને જીતાડનાર બન્ને કહેવાય છે. જૈનશાસનમાં ઈશ્વરતત્ત્વની આ મહાનતા છે કે, તેઓ ઉપાસના કરનાર આત્માને પોતાના તુલ્ય જ બનાવે છે. પરમાત્માએ સ્વયં તો રાગાદિના વિજયની સર્વશ્રેષ્ઠ સાધના કરી, પરંતુ યોગ્ય એવા અનેક આત્માઓને પણ આ રાગાદિના સકંજામાંથી મુક્ત કરાવી પોતાના જેવા જ બનાવ્યા છે, બનાવે છે. તિof તારા (નમોહ્યુ ) - સંસાર સાગરથી તરેલા અને બીજાને તારનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) પરમાત્મા સ્વયં તો સંસારસાગરથી તરેલા છે જ; પરંતુ ધર્મદેશના અને ગુણસંપન્નતા દ્વારા અનેકને સંસારસાગરથી તારનારા પણ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પરમાત્માનો મોક્ષ તો નિશ્ચિત હોય છે, તોપણ પરમ કૃપાળુ
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy