________________
તમોત્યુ સૂત્ર
૧૧૭
છે કે, જ્ઞાન પદાર્થના વિશેષ બોધસ્વરૂપ છે અને દર્શન એ પદાર્થના સામાન્ય બોધસ્વરૂપ છે. આમ તો પદાર્થના વિશેષ બોધમાં સામાન્ય બોધનો સમાવેશ થઈ જ જાય છે. તેથી ભગવાનને માત્ર “વરનાથરાઈ' કહ્યા હોત તો ચાલી શકત, આમ છતાં પણ જગતવર્તી તમામ પદાર્થો સામાન્ય અને વિશેષ બંને ધર્મથી યુક્ત છે, તેથી શેયમાં (વસ્તુમાં) બંને ધર્મો હોઈ વિશેષ ધર્મને જાણનાર જ્ઞાન અને સામાન્ય ધર્મને જાણનાર દર્શન ગુણથી યુક્ત પરમાત્મા છે એમ કહ્યું છે.
આ પદ બોલતાં વિશિષ્ટ પ્રકારની સાધના કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણોને પ્રાપ્ત કરનારા પરમાત્માને સ્મૃતિપટ પર લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે –
“હે નાથ ! આપે જેમ સાઘના દ્વારા કર્મનાં પડેલો હટાવી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પ્રકાશ પ્રાપ્ત કર્યો, તેમ આપજે કરાતો આ નમસ્કાર અમારા માટે પણ
કેવળજ્ઞાનાદિ ગુણોનું અમોઘ કાર બનો !” કેવળજ્ઞાન-કેવળદર્શન છઘસ્થપણાના નાશ વગર શક્ય નથી. તેથી હવે તેની વાત જણાવે છે. *
વિય-છેડમા (નમોડલ્થ ) - વ્યાવૃત્ત છદ્મવાળા (જેમનાં ઘાતિકર્મો નિવૃત્ત થયાં છે તેવા) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
જે આચ્છાદિત કરે - ઢાંકે તેને છ% કહેવાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્મગુણોને ઢાંકનાર ઘાતિકર્મો તે જ છ% છે.
જેમનાં ઘાતિકર્મો સર્વથા નાશ પામ્યાં છે, તે ભગવાન જ વ્યાવૃત્ત છદ્મવાળા છે. જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે. દર્શનાવરણીયકર્મ આત્માના દર્શનગુણને ઢાંકે છે. મોહનીયકર્મ આત્માના સમ્યગ્દર્શન અને અનંત ચારિત્ર ગુણને ઢાંકે છે અને અંતરાયકર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ગુણને ઢાંકે છે. બીજી રીતે વિચારીએ તો; છદ્મ એટલે દોષો કે, રાગાદિ કષાયો. જેમના આ કષાયો સર્વથા નાશ પામ્યા છે તે ભગવાન જ વ્યાવૃત્ત છદ્મવાળા છે.
આ પદ બોલતાં જેમના સમસ્ત દોષ નાશ પામ્યા છે અને આથી જ જેમનું વચન નિઃશંકપણે સ્વીકારવા યોગ્ય છે અને જેઓ સમસ્ત જગત માટે પૂજનીય છે, તેવા પરમાત્માને હૃદયસ્થ કરી પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે -