________________
121
તૈયાર થઈ અને કાળક્રમે સાધકોના પરિશ્રમથી આપણી “સૂત્ર સંવેદના”ની યાત્રા પ્રારંભાઈ.
આજે તે ગંગોત્રીની પ્રત્યક્ષ રીતે તો ન પૂરાય તેવી ખોટ છે, પણ તેના દ્વારા સીંચાયેલું બીજ એક વડના વૃક્ષની જેમ વિકસી રહ્યું છે. તેઓશ્રીને વંદન કરી પ્રાર્થના કરું કે, અમારા સંયમબાગને જ્ઞાનના જળથી લીલોછમ રાખી શકીએ તેવી કૃપા વરસાવજો.
તેઓશ્રીએ આપેલું અનેક સુધી પહોંચાડી, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવાનો આ મારો કિંચિત્ પ્રયાસ છે. બાકી, મહારાજજી કે કોઈપણ ગુરુનો ઉપકાર અકથ્ય જ હોય છે. ગમે એટલી લાગણીને વાચા આપું તો પણ તેઓશ્રીએ જે આપ્યું છે તે ત્વચા અને વાચાથી પર જ રહે છે. ગુરુ-શિષ્યનો સંઘન સંબંધ તો શિષ્યના અંતરની અનુભૂતિનો જ વિષય છે. મારી અનુભૂતિ તો એટલી ઊંડી અને ઉત્તમ છે કે, એ મૌનમાં જ વ્યક્ત થઈ શકે.
જે પૂજ્યભાવ ઉરમાં તમ કાજ એને વાણી યદિ નવ શકે કરી વ્યક્ત તોયે . હૈયે રમે પળપળે બસ એ પ્રતીતિ કે માણશો નક્કી તમે
આ મૌનના મૃદુલ ફૂલ તણી સુવાસ
સદાની ઋણી
સા. પ્રશમિતાશ્રી