________________
અગ્નિ પ્રજવલિત કરી કર્મના સમિધને હોમવાનો ભાવ-યજ્ઞ માંડ્યો હતો. તો કર્મસત્તાએ વિવિધ વ્યાધિઓના તોફાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ. આ કોઈ જેવો તેવો સાધક ન હોતો. જેમ જેમ વ્યાધિઓનું જોર વધતું ગયું તેમ તેમ ચિંતન-મનન-પરિશિલન દ્વારા જ્ઞાન આત્મસાત્ બનતું ગયું. અભ્યાસ તો તેઓશ્રીએ જટીલમાં જટીલ દર્શન શાસ્ત્રનો પણ કર્યો. છતાં જ્યારે અન્યને આપવાના પ્રસંગો આવ્યા ત્યારે બાળકોની કવિતા જેવી સરળ શૈલીમાં શાસ્ત્રોની કઠીન સાધનાને વહેતી મૂકી. સાધનાના નિચોડ સ્વરૂપે તેઓ અનેક ત્રિપદીઓ-ચતુષ્પદીઓ વગેરે આપતાં. જેમકે, જીવન બિન ફરીયાદી
બિન અપેક્ષી બનાવો મોટાને માન 1. નાનાને ઇનામ અને
- જાતને કામ આપો. જીવ સાથે મૈત્રી કેળવો જપ્રત્યે વિરક્તિ કેળવો
પરમાત્મા પ્રત્યે ભક્તિ કેળવો ઘર છોડે સાધુ થવાય મન છોડે શિષ્ય થવાય મોહ છોડે કેવળી થવાય
દેહ છોડે સિદ્ધ થવાય સ્વયં તો સદા સ્વાધ્યાયમાં મગ્ન રહેતા પણ અમને સૌને પણ અભ્યાસ કરવાની અનેક પ્રકારની અનુકૂળતાઓ કરી આપતા. મેં જ્યારે ૨૦૩૧ની સાલમાં તેઓશ્રીના ચરણે જીવન સમર્પિત કર્યું ત્યારથી તેઓશ્રીએ મારી - જિજ્ઞાસાને સંતોષવા અનેક પ્રયાસો કર્યા. સૂત્રનાં માત્ર શબ્દાર્થ નહીં પણ
દંપર્યાય (તાત્પર્યાય) સુધી પહોંચવા માટેની તેઓશ્રીની સતત પ્રેરણા રહેતી સૂત્રનાં અર્થનું અધ્યયન પણ કરાવતાં અને અધ્યાપન કરાવવાની જવાબદારી પણ સોંપતા. તેઓશ્રીનાં આવા પ્રયતનોના ફળ સ્વરૂપે જ સૂત્રાર્થની નોટો