________________
૧૦૦
સૂત્રસંવેદના-૨
પત્થર જેમ અથડાતો-કૂટાતો કોઈકવાર અનાયાસે ગોળ થઈ જાય છે, તેમ ભવમાં ભટકતાં ભટકતાં દુઃખોને સહન કરતાં કરતાં જ્યારે જીવની મિથ્યાત્વમોહનીયાદિ કર્મસ્થિતિ કાંઈક મંદ થાય છે; ત્યારે જીવને કંઈક શુભભાવની પ્રાપ્તિ થાય છે અને ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ આદિથી થતી આત્માની પીડા તેને સમજાય છે. તેમજ સંસારની વાસ્તવિકતાનો તે વિચાર કરી શકે છે. તેના કારણે “સંસારમાં સુખ છે” – એવો અનાદિકાળનો ભ્રમ ઓછો થતાં સંસાર પ્રત્યેનો રાગ ઘટતો જાય છે અને ભવથી પાર પામેલા ભગવાન ઉપર તેને બહુમાન થાય છે. આ પરિણામને જ્ઞાની પુરુષો ચરમ યથાપ્રવૃત્તિકરણકહે છે. આ તત્ત્વચિંતનના માર્ગે આગળ વધતાં નિકટ મુક્તિગામી આત્માને તથા પ્રકારના કર્મના ક્ષયોપશમથી 48અપૂર્વકરણ અને 4 અનિવૃત્તિકરણનો અધ્યવસાય પ્રગટે છે. કુઠારાઘાત (કુહાડીના ઘા) સમાન આ અધ્યવસાયથી આત્મા રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિને ભેદે છે અને મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે. આ રીતે રાગવૈષના પરિણામરૂપ ગ્રંથિન ભેદ થવાથી જીવન બધિની પ્રાપ્તિ થાય છે.
બોધિની પ્રાપ્તિથી ખોટા અનુભવો, ખોટી માન્યતાઓ આદિ સર્વથા દૂર થાય છે. “હા” હજુ અહીં પણ જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે જ્ઞાનમાં કચાશ હોઈ શકે છે; પરંતુ સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ પછી હેય-ઉપાદેયના વિવેકમાં થોડી પણ કચાશ રહેતી નથી. બાહ્ય દુન્યવી પદાર્થોના જ્ઞાનમાં કદાચ ન્યૂનતા હોઈ શકે, પરંતુ પોતાના અંતરંગ ભાવોને ઓળખવામાં તો જીવ હવે લગભગ ભૂલ નથી કરતો.
બોધિની ગેરહાજરીમાં મિથ્યાદૃષ્ટિ આત્માને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી
47. યથાપ્રવૃત્તિકરણ – અનાદિકાળથી અથડાતા-ફૂટાતા જે કાંઈક શુભ ભાવો થાય છે. તેને
યથાપ્રવૃત્તિકરણ કહે છે. યથાપ્રવૃત્તકરણ કરતાં કરતાં મિથ્યાત્વમોહનીયકર્મની ૩૯
કોડાકોડીથી અધિક સ્થિતિનો નાશ કરી જીવ અન્તઃ કોડાકોડીની સ્થિતિવાળો બને છે. 48. અપૂર્વકરણ - પૂર્વે કદી ન આવ્યો હોય તેવો અપૂર્વ કોટીનો અધ્યવસાય પ્રગટે તે
અપૂર્વકરણ છે. આ કરણ દ્વારા જ આત્મા રાગ-દ્વેષની તીવ્ર ગાંઠને ભેદી શકે છે. 49. અનિવૃત્તિકરણ - જે પરિણામને કારણે આત્મા સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કર્યા વિના પાછો
ન ફરે તેવો વિશિષ્ટ કોટીનો અધ્યવસાય તે અનિવૃત્તિકરણ કહેવાય છે. (આ કરણો વખતે કર્મમાં કેવા ફેરફારો થાય છે, વગેરે બાબત કર્મગ્રંથ-રમાંથી જોવી અથવા પરમતેજ ભા. રમાંથી જોવું.)