SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સૂત્રસંવેદના-૨ સૌંદર્ય વગેરે વિશિષ્ટ ગુણો હોવાથી ભ્રમરરૂપી તિર્યંચો તથા મનુષ્યો અને દેવો પણ એને સેવે છે, યાવત્ પરમાત્માને પણ કમળ ચઢાવવામાં આવે છે, એવી રીતે અરિહંતપરમાત્મામાં કેવળજ્ઞાનાદિ વિશિષ્ટ ગુણો હોવાથી ભવ્ય એવા તિર્યંચો, મનુષ્યો અને દેવો પરમાત્માની ઉપાસના કરે છે. ૮. સુખનું કારણ : શ્રેષ્ઠ કમળ જેમ દેવ-મનુષ્યને માટે સુખનું કારણ છે, તેમ ભગવાન પણ ભવ્ય જીવોને અત્યંત આનંદસ્વરૂપ મોક્ષસુખનું કારણ બને છે. આ રીતે કમળ સમાન આઠ ગુણોથી યુક્ત પરમાત્માને મારો નમસ્કાર થાઓ. આ પદ બોલતાં કમળની ઉપમાને વરેલા પરમાત્માને સ્મૃતિપટ પર લાવી એવી ઈચ્છા અભિવ્યક્ત કરીએ કે ; “હે નાથ ! કમળવત્ સર્વ બાહ્ય ભાવોથી અલિપ્ત એવા આપને કરેલો નમસ્કાર, મને પણ સર્વ બાહ્ય ભાવોથી અલિપ્ત કરી આપની જેમ નિર્લેપ બનાવો !” પુરિસ-વર-બંધ-ત્થીળ (નમોઽત્યુ ાં) શ્રેષ્ઠ ગંધહસ્તી જેવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) - સૂંઢરૂપ હસ્ત જેને છે, તે હસ્તિ કહેવાય છે, જે હાથીના ગંડસ્થલમાંથી અત્યંત સુગંધયુક્ત મદ ઝરે છે, તે ગંધહસ્તિ કહેવાય છે. આવા ગંધહસ્તિઓમાં પણ જે શ્રેષ્ઠ હોય, જેની ગંધ માત્રથી ક્ષુદ્ર-હલકા પ્રાણીઓ ગભરાઈને ભાગી જાય તેને ‘વર-ગંધ-હત્યિ' કહેવાય છે. ભગવાન શ્રેષ્ઠ ગંધહસ્તિ તુલ્ય છે. કેમ કે, ગંધહસ્તિને જેમ કોઈની સામે યુદ્ધ કરવું પડતું નથી, પરંતુ તેની ગંધ માત્રથી જ નબળા-પોચા હાથીઓ દૂર ભાગી જાય છે, તેમ પરમાત્માને પણ કોઈ મંત્ર-તંત્રની સાધના કરવી પડતી નથી. મંત્રાદિની સાધના વિના જ ભગવાન જ્યાં-જ્યાં વિચરે ત્યાંથી અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ, મારી-મરકી, ઈતિ-ઉપદ્રવ આદિ સર્વ અનિષ્ટો પલાયન થઈ જાય છે. અનિષ્ટકારી કોઈપણ તત્ત્વ પરમાત્માની હાજરીમાં ટકી શકતું નથી, માટે પરમાત્મા શ્રેષ્ઠ ગંધહસ્તિ તુલ્ય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy