________________
તમોત્યુ સૂત્ર
“હે નાથ ! આપને કરેલો આ નમસ્કાર, કર્મો અને કષાયો સામે ઝૂકી પડેલા મારા આત્માને કર્મ-કષાયો સામે કડક
બનાવો અને કોને સહન કરવા માટે શક્તિમાન બનાવો !” પરિવર-પુષ્કરીયા (નમોજુ ) - પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરિક સમાન એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
પુંડરિક કમળમાં જે આઠ પ્રકારની વિશેષતાઓ છે, તેવી વિશેષતાઓ ભગવાનમાં પણ છે. તેથી ભગવાનને પુંડરિક કમળ સમાન કહ્યા છે. કમળ સાથે પરમાત્માની સરખામણી : ૧. કાદવમાં જન્મ : સુંદર એવા કમળનો જન્મ પણ જેમ કાદવમાં થાય
છે, તેમ પ્રભુનો જન્મ પણ કર્મરૂપી કાદવથી ભરેલા સંસારમાં
થાય છે. ૨. પાણીથી વૃદ્ધિ : કમળ જેમ પાણીથી વધે છે, તેમ પ્રભુ દિવ્યભોગરૂપી
પાણી દ્વારા વૃદ્ધિ પામે છે. ૩. બન્નેથી અલિપ્ત : વૃદ્ધિ પામતું કમળ જેમ કાદવ અને પાણી : બન્નેથી
અલિપ્ત રહે છે, તેમ ભગવાન પણ કર્મથી પ્રાપ્ત થયેલા જન્મ
અને ભોગથી વૃદ્ધિ પામવા છતાં બન્નેથી અલિપ્ત રહે છે. ૪. સહજ સૌંદર્ય : કમળમાં જેમ સ્વાભાવિક સુંદરતા હોય છે, તેમ
ભગવાનમાં ૩૪ અતિશયો અને આત્મિક ગુણોના યોગે બાહ્ય
અત્યંતર બન્ને પ્રકારની સ્વાભાવિક સુંદરતા હોય છે. ૫. લક્ષ્મીનું સ્થાન : કમળ પર જેમ શ્રીદેવીનો વાસ છે, તેમ ભગવાનમાં
પણ કેવળજ્ઞાનાદિ લક્ષ્મી અને સર્વોચ્ચ સંપત્તિનો વાસ છે. ૭. ચક્ષુ આદિને પ્રીતિકર : શ્રેષ્ઠ કમળ આંખ-નાકાદિ ઈન્દ્રિયોને આનંદ આપે
છે, તેમ પરમાત્મા અદ્ભુત રૂપ આદિને કારણે ચક્ષુ આદિને આનંદદાયક બને છે તથા જગતના જીવોને તત્ત્વનું દર્શન કરાવી
સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી આત્માનો આનંદ પ્રાપ્ત કરાવે છે. ૭. ઉત્તમ દેવ, મનુષ્ય અને તિર્યંચથી સેવ્ય : કમળમાં જેવી રીતે સુગંધ,