________________
અધ્યયન પ
સ્પર્શ વજ્ર ભૌતિક દ્રવ્યો
દ્રબ્યા નવ જ છે
વૈશેષિકને મતે દ્રવ્ચે નવ જ છે—પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાલ, ઉદે, આત્મા અને મન. કેટલાક દાર્શનિકે અંધકારને નવ દ્રવ્યેાથી સ્વતંત્ર એક દશમું દ્રવ્ય માને છે. અંધકારને દશમા દ્રવ્ય તરીકે તેઓ નીચે પ્રમાણે સાબિત કરે છે. તેઓ કહે છે કે જેમાં ગુણ અને ક્રિયા હોય તે દ્રવ્ય છે. અંધકારમાં પણ નીલ રૂપ (ગુણુ) વિદ્યમાન છે. વળી, ‘અંધકાર ચાલે છે’ એવી પ્રતીતિ પણ આપણને થાય છે. આ દર્શાવે છે કે અંધકારમાં ક્રિયા પણ છે. આમ ગુણ અને ક્રિયા અંધકારમાં હોવાથી અંધકાર દ્રવ્ય તરીકે પુરવાર થાય છે. અંધકાર દ્રવ્ય હોવા છતાં તેને નવ દ્રવ્યેામાં સમાવેશ થતા નથી. એમાં ગંધ નથી એટલા માટે એ પૃથ્વી ન હેાઈ શકે. એમાં નીલ રૂપ હાવાથી એનેા પૃથ્વી સિવાયના જળ વગેરે બાકીનાં દ્રવ્યામાંથી કાઈ પણ દ્રવ્યમાં સમાવેશ ન થઈ શકે, કારણ કે જળ અને અગ્નિનું રૂપ શ્વેત હેાય છે—નીલુ નહિ—અને વાયુ, આકાશ, કાલ, દિ, આત્મા કે મનને કેાઈ રૂપ હાતુ નથી. તેથી અંધકાર એમનાથી ભિન્ન દ્રવ્ય છે. અંધકાર અને ખીજા દ્રવ્યો વચ્ચે ખીજો પણ એક ભેદ છે. રૂપવાળાં ખીજા દ્રવ્યોનુ પ્રત્યક્ષ પ્રકાશની સહાયતાથી થાય છે, પરંતુ અંધકારનુ પ્રત્યક્ષ પ્રકાશની સહાયતા વિના થાય છે. આથી અંધકાર વૈશેષિકાએ માનેલાં નવ દ્રવ્યેાથી અલગ દશમું દ્રવ્ય છે.
વૈશેષિકા આ મતનું ખંડન કરે છે. પ્રકાશના અભાવનું નામ જ અંધકાર છે. પ્રકાશને(તેજતે) માને એટલે એના અભાવને માનવે પણ આવશ્યક છે. અંધકારને પ્રકાશના અભાવરૂપ માનવાથી જો કામ ચાલતુ હાય તેા એક નવા દ્રવ્યની કલ્પના શા માટે કરવી ? પરંતુ અહીં પ્રશ્ન એ થશે કે અંધકાર જો અભાવરૂપ જ હોય તે એમાં ગુણ અને કર્મીની પ્રતીતિ કેમ થાય છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે આ અને પ્રતીતિએ કેવળ ભ્રમ છે. જેમ આકાશ નીલ છે' એવી પ્રતીતિ ભ્રમ છે તેમ અંધકાર નીલ છે' એવી પ્રતીતિ પણ ભ્રમ છે. ‘અંધકાર ચાલે છે’ એવી પ્રતીતિ પ્રકાશના ખસવાથી થાય છે, અર્થાત્ જ્યારે