________________
૫૮૨
પદર્શન
પદાર્થોમાંય નથી કે પરમાણુ, આકાશ, વગેરે નિત્ય પદાર્થોમાંય નથી. પરિણામે આપણને શબ્દ ધમીમાં નિત્ય-અનિત્ય ધર્મો વિશે સંશય જન્મે છે.
વિપ્રતિપત્તિમલક સંશય –એક જ ધર્મમાં પરસ્પર વિરોધી ધર્મોનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રવાક્યો સાંભળી જે સંશય જન્મે તે વિપ્રતિપત્તિમૂલક સંશય છે. એક કૃતિવાક્ય આત્માને અણુ કહે છે, બીજું શ્રુતિવાક્ય તેને વ્યાપક કહે છે. આત્મામાં પરસ્પર વિરોધી ધર્મોનું પ્રતિપાદન કરતાં આ બે વિરોધી કૃતિ- ' ', વાકાને બેધ થતાં આત્મા અણુ છે કે વ્યાપક એવો સંશય જન્મે છે.
ઉપલધ્યવ્યવસ્થામૂલક સંશય-ઈન્દ્રિ દ્વારા સત્પદાર્થની પણ ઉપલબ્ધિ થાય છે જેમ કે તળાવના પાણીની) અને કેટલીક વાર અસત પદાર્થની પણ ઉપલબ્ધિ થાય છે (જેમ કે મરીચિકામાં ભાસિત પાણીની). તેથી ઉપલબ્ધિની આ અવ્યવસ્થા જાણીને એવી શંકા ઉદ્દભવે છે કે “સામે જે જળ દેખાય છે તે ખરેખર સત છે કે અસત’. આ સંશય ઉપલબથ્થવ્યવસ્થા મૂલક ગણાય.
અનુપલષ્યવ્યવસ્થામૂલક સંશય – માની લઈએ કે તમે સાંભળ્યું છે કે અમુક પીપળા ઉપર પ્રેત રહે છે. તમે તેની ખાતરી કરવા ત્યાં જાય છે. પરંતુ ત્યાં પ્રેત તમને દેખાતું નથી. તમને શંકા થાય છે કે પ્રેત અન્તર્હિત થઈ જવાને કારણે દેખાતું નથી કે પીપળા ઉપર તેને વાસ જ નથી. અમુક વસ્તુની અનુપલબ્ધિ હોય છે ત્યારે તે વસ્તુનો અભાવ હોય છે પણ કેટલીક વસ્તુની અનુપલબ્ધિ હોય છે ત્યારેય તે વસ્તુનો અભાવ નથી હોતું. આ અનુપલબ્ધિની અવ્યવસ્થાને કારણે આપણને શંકા જન્મે છે કે અમુક વસ્તુ નથી એટલે નથી દેખાતી કે પછી હોવા છતાં દેખાવા ગ્ય ન હોવાથી નથી દેખાતી.
સંશય અને વિપર્યય વિપર્યય મિથ્યાજ્ઞાન છે. વિપર્યય નિશ્ચયાત્મક જ્ઞાન છે. છીપમાં (શુકિતમાં) ચાંદીનું (=રજાનું) નિશ્ચયાત્મક જ્ઞાન વિપર્યય છે. અહીં શક્તિમાં શુક્તિત્વ ધર્મનું જ્ઞાન નથી થતું પણ રજતત્વ ધર્મનું જ્ઞાન થાય છે. સંશયમાં તે આ - બે ધર્મોમાંથી એક પણ ધર્મનું નિશ્ચયાત્મક જ્ઞાન નથી હોતું. સંશય તો તે બંને ધર્મની સંભાવના ધમમાં સ્વીકારે છે. ધમી માં તેના પિતાના જ ધર્મનું જ્ઞાન પ્રમ છે અર્થાત શક્તિમાં શુક્તિત્વ ધર્મનું જ્ઞાન પ્રમા છે.