SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન પદના પૂર્વોચ્ચરિત બધા જ વર્ણોના સંસ્કારો આત્મામાં હોય છે જ. તે સંસ્કારોની સહાયથી અત્યવર્ણશ્રવણ વર્ણસમુદાયરૂપ પદને ઉપસ્થિત કરે છે. આવી રીતે ગ્રહણ કરાયેલું પદ પોતાના અર્થનું જ્ઞાન કરાવે છે. જે પદને અર્થ (યા પ્રવૃત્તિ-પ્રયોગ) વ્યુત્પત્તિ ઉપર નિર્ભર છે તે પદ યૌગિક કહેવાય છે, જેમ કે દાતા. અહીં ધાતુને (દેવું) તૃત્ (કર્તાિસૂચક) પ્રત્યય સાથે સંયોગ થવાથી “દાતા” પદ બન્યું છે. તેથી યૌગિક પદને પ્રયોગ અવયવાર્થમાં થાય છે. ૧૩ જે પદને અર્થ અંશતઃ અવયવ પર નિર્ભર હોય અને અંશતઃ સમુદાય પર નિર્ભર હોય તે પદને ગરૂઢ પદ કહેવામાં આવે છે, ઉદાહરણર્થ “પંકજ પંકજ' પદનો અવયવાર્થ (=વ્યુત્પજ્યર્થ) છે કાદવમાં ઉત્પન્ન થાય છે. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે. તેથી અહીં અવયવો (= પંકજ) ઉપર અર્થનો આધાર છે. તેથી પંકજ'પદ યૌગિક ગણાય. પરંતુ સાથે સાથે એવું પણ આપણે જાયું છે કે કાદવમાં કીડા, વગેરે પણ ઉત્પન્ન થાય છે. પરંતુ “પંકજ' પદવાઓ તે કીડા, વગેરે નથી. કેટલાંક કમળો શુષ્ક ભૂમિમાં થાય છે તેમ છતાં તે પંકજ પદવાઓ છે. અર્થાત 'પંકજ'પદ અવયવાર્થ (=વ્યુત્પજ્યર્થ) ઉપરાંત સમુદાયાર્થ પણ છે. આમ “પંકજ પદ અંશતઃ રૂઢ પણ છે. આવાં પદોને ગરૂઢ ગણવામાં આવે છે. યોગરૂઢ પદમાં અવયવાર્થ અને સમુદાયાર્થ બંનેને સમન્વય હોય છે. પદના બે અર્થો તૈયાયિકે સ્વીકારે છે–મુખ્યાર્થ(વાચ્યાર્થ=અભિધેયાર્થ) અને લક્ષ્યાર્થ. વ્યંગ્યાથને નીયાયિકે સ્વીકારતા નથી. વ્યંગ્યને તેઓ અનુમેય જ ગણે છે. ઉપર આપણે પદના જે અર્થની ચર્ચા કરી તે અર્થ તેમનો મુખ્યાર્થ છે. પદના પિતાના અર્થ સાથેના સંબંધને વૃત્તિ કહેવામાં આવે છે. પદનો પિતાના મુખ્યાર્થ સાથે સંબંધ અભિધા કહેવાય છે અને તેનો પિતાના લક્ષ્યાર્થી સાથે સંબંધ લક્ષણું કહેવાય છે. પદના અભિધેયાર્થીનું જ્ઞાન આપણને આઠ સાધન દ્વારા થઈ શકે છે. તે આઠ સાધન છે–વ્યાકરણ, કેશ, આમવાક્ય, વૃદ્ધવ્યવહાર, વિકૃતિ, ઉપમાન પ્રમાણ, વાક્યશેષ અને સાનિધ્ય.૧૪ પદનો પિતાના શક્ય અર્થ સાથે(=લક્ષ્યાર્થ સાથે) સંબંધ લક્ષણ છે.૧૫ જ્યારે મુખ્યાર્થ બાધિત થતો હોય ત્યારે લદ્યાર્થી લેવામાં આવે છે. ગંગા ઉપર નેસ છે–આ વાક્ય લો. ગંગાપદને અર્થ જલપ્રવાહ છે, એના ઉપર નેસ ન હોય. તેથી ગંગારનો અર્થ તેના મુખ્યાર્થ સાથે સમ્બદ્ધ જલપ્રવાહ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy