SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ યગ્દર્શન આ પ્રશ્ના વિચાર કરતાં પહેલાં વ્યક્તિ, આકૃતિ અને જાતિથી શું. સમજવાનું છે તે સમજી લઈ એ. ૫૪૪ વિશેષ ગુણાના આશ્રયરૂપ, સાવયવ મૂર્તિમાન દ્રવ્ય વ્યકિત કહેવાય છે. અહીં વિશેષગુણામાં સજાતીય અને વિજાતીય બધી વસ્તુઓથી તે દ્રવ્યને વ્યાવૃત્ત (exclude) કરનાર બધા જ વિશેષગુણાના સમાવેશ થાય છે.૩ અનેક સજાતીય વ્યકિતઓમાં એકાકાર બ્રુદ્ધિનુ જનક, તે બધી વ્યક્તિએમાં અનુવૃત્ત એક અને નત્ય સામાન્ય છે; તે જ જાતિ છે.૪ જાતિ જેના દ્વારા જાણી શકાય એવાં લિંગાને (=ચિહ્નોને) આકૃતિ કહેવામાં આવે છે. આનો અર્થ એ કે સજાતીય વસ્તુને વિજાતીય વસ્તુઓથી વ્યાવૃત્ત કરનાર જે વિશેષગુણા છે તે જ જાતિના લિંગા છે અને તેમને જ આકૃતિ ગણાય. આમાં અવયવેાની રચના(=વ્યૂહ)ના સમાવેશ થાય છે.પ હવે મૂળ પ્રશ્ન વિચારીએ કે પદના પદાર્થ વ્યક્તિ છે, આકૃતિ છે કે જાતિ છે ? ‘ગા’ શબ્દના નીચે આપેલા ભિન્ન-ભિન્ન પ્રયોગો. જુએ. (૪) ગાય ચરે છે. (વ) ગાયોનુ ધણ એન્ડ્રુ છે. (૪) ગાયનું દાન કરો. (૩) ગાયને ધાસ ખવડાવા. આ પ્રયાગ તપાસતાં જણાય છે કે ‘ગા’પદના પદા આકૃતિ અહીં અભિપ્રેત નથી, કારણ કે ગા-આકૃતિ ચાતી નથી કે ગે-આકૃતિનું દાન કરવાનું વિધાન નથી. તેવી જ રીતે અહીં ‘ગા’પદના અથગાત્વાતિ પણ અભિપ્રેત નથી.કારણ કે ગાત્વજાતિ એક હોઈ તેનું ધણ સંભવે નહિ, ગેાતિ વિભુ હોઈ તેનું દાન થઈ શકે નહિ, વગેરે. આ ઉપરથી પુરવાર થાય છે કે અહી ગા’પદના અથ ગા’વ્યકિત છે. પરંતુ ગા’પદા અંગે-વ્યક્તિ માનતાં આપત્તિ આવે છે. ગા’પદથી કઈ કઈ વ્યકિતઓનું ગ્રહણ કરવું અને કઈ કઈ વ્યકિતઓનું ગ્રહણ ન કરવું ? સામે જે વ્યકિત (ગાય યા અશ્વ) છે તે ‘ગા’પાચ્ય છે કે નહિ એને નિશ્ચય કેવી રીતે થાય છઃ આકૃતિ જોઈ તે તે એના નિશ્ચય થાય છે. અશ્વની આકૃતિ ગાયની આકૃતિથી ભિન્ન હોય છે. તેથી, અશ્વને આપણે ગા’પદવાચ્ય નથી ગણતા. જે વ્યકિતઓમાં ગે-આકૃતિ હોય તેમને જ આપણે ‘ગા’
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy