________________
ન્યાયદર્શન
૫૩૯ ગેસદશ ગવય હોય છે એવું અતિદેશવાક્ય સાંભળ્યું નથી તે વનમાં અજ્ઞાત પશુમાં ગોસાદશ્યનું પ્રત્યક્ષ તે કરે છે પણ તેને તે પશુ ગવયપદવા છે એવું જ્ઞાન થતું નથી. અતિદેશવાક્યસ્મરણસહકૃત સાદડ્યુદર્શન જ સંજ્ઞાસંગ્નિસંબંધજ્ઞાનરૂપ ઉપમિતિ ઉત્પન્ન કરે છે. આમ ઉપમાન પ્રમાણુ કેવળ સદશ્યદર્શનરૂપ ન હોઈ પ્રત્યક્ષપ્રમાણથી ભિન્ન પુરવાર થાય છે.
કેટલાક દાર્શનિકે ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ કરે છે. તેઓ કહે છે કે જેમ અનુમાનમાં પ્રત્યક્ષ વસ્તુ (=ધૂમ) ઉપરથી અપ્રત્યક્ષ વસ્તુનું (=અગ્નિનું) જ્ઞાન થાય છે તેમ ઉપમાનમાં પણ પ્રત્યક્ષ વસ્તુ (ગે) ઉપરથી અપ્રત્યક્ષ વસ્તુનું (=અવયનું) જ્ઞાન થાય છેતેથી ઉપમાનને અનુમાન જ ગણવું જોઈએ.૧૩
આના ઉત્તરમાં તૈયાયિક કહે છે કે પ્રત્યક્ષ ગો ઉપરથી અપ્રત્યક્ષ ગવયનું જ્ઞાન કરાવવું તે ઉપમાનપ્રમાણુનું કામ નથી, તેનું કામ તે જ્યારે અજ્ઞાત ગવય પ્રત્યક્ષ થાય ત્યારે તેની અંદર પ્રત્યક્ષ થયેલા ગવયત્વસામાન્યનું “ગવયેપદવારૂપે જ્ઞાન કરાવવાનું છે.૧૪ વળી, અનુમાનમાં પક્ષધર્મતાજ્ઞાન અને
વ્યાપ્તિજ્ઞાન આવશ્યક છે જ્યારે ઉપમાનને તેમની અપેક્ષા નથી.૧૫ ઉપમાનપ્રમાણ અતિદેશવાક્યર્થસ્મરણ સહકૃત સદશ્યદર્શનરૂપ છે જ્યારે અનુમાન પ્રમાણ વ્યાપ્તિસંબંધસ્મરણસહકૃત લિંગપરામર્શરૂપ છે. આમ ઉપમાન પ્રમાણનો અનુમાનપ્રમાણથી ભેદ છે. તેથી ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ થઈ શકે નહિ.
ઉપમાન પ્રમાણુ શબ્દપ્રમાણથી પણ ભિન્ન છે. ગવય ગોસદશ હોય છે? એવું અતિદેશવાય શબ્દપ્રમાણુ યા આગમપ્રમાણ છે એ વાત ખરી પરંતુ તેના એકલાથી સ્પષ્ટ અને નિરુપદ્ધવ સંજ્ઞાસંગ્નિસંબંધિજ્ઞાન થતું નથી, કારણ કે જ્યાં સુધી સંજ્ઞી(=ગવયવસામાન્ય)નું પ્રત્યક્ષ થાય નહિ ત્યાં સુધી તે વાક્ય સંજ્ઞાસંન્નિસંબંધજ્ઞાન કરાવી શકતું નથી. સંજ્ઞાને સંતી સાથે સ્પષ્ટ અને નિરુપદ્ધવ સંબંધ જાણવા માટે સંસીનું પ્રત્યક્ષ જરૂરી છે, સંજ્ઞાર્ક્સ પ્રત્યક્ષજ્ઞાનપૂર્વક છે, કેવળ અતિદેશવાક્ષાર્થજ્ઞાન જ સંજ્ઞાસંગ્નિસંબંધજ્ઞાન કરાવવા પૂરતું નથી.૧૭
પાદટીપ १ प्रसिद्धसाधात् साध्यसाधनमुपमानम् । न्यायसूत्र १.१.६ । प्रज्ञातेन सामान्याद्
प्रज्ञापनीयस्य प्रज्ञापनमुपमानमिति । यथा गौरेवं गवय इति । किं पुनरत्रोपमा