________________
પર૬
પદર્શન ' ઉક્ત પાંચ લક્ષણેમાંથી એક એક લક્ષણના અભાવથી થતાં પાંચ હેવાભાસે ન્યાયસૂત્રકાર ગૌતમ સ્વીકારે છે. વિપક્ષાસત્વ લક્ષણ ન હોય તે સવ્ય. ભિચાર હેત્વાભાસ થાય. સપક્ષસર્વ લક્ષણ ન હોય તે વિરુદ્ધ હવાભાસ થાય. અસતિપક્ષ લક્ષણ ન હોય તે પ્રકરણસમ હેત્વાભાસ થાય. પક્ષસર્વ લક્ષણ ન હોય તે સાધ્યસમ હેવાભાસ થાય. અને અબાધિતત્વ લક્ષણ ન હોય તે કાલાતીત હવાભાસ થાય.૫
સવ્યભિચાર-વ્યભિચારને અર્થ આપણે જાણીએ છીએ. તેને અર્થ છે એકની સાથે જ સહવાસ ન કરતાં અન્યની સાથે પણ સહવાસ કરે છે. જે આવો હોય તે સવ્યભિચાર કહેવાય.૭૬ તેનું જ બીજું નામ અનૈકાતિક છે. અર્થાત જે એકની સાથે જ સંબંધ ન ધરાવતાં અન્યની સાથે પણ સંબંધ ધરાવે છે તે અનૈકાન્તિક છે.૭૭ આ ઉપરથી એ ફલિત થાય છે કે જે હેતુ સાધ્યની સાથે જ નહિ પણ સાધ્યાભાવ સાથે પણ રહે છે તે હેતુ સવ્યભિચાર ગણાય. આમ સવ્યભિચાર હેતુ વિપક્ષમાં – જ્યાં સાયને અભાવ હોય છે ત્યાં – રહે છે. અર્થાત તેનામાં વિપક્ષાસવ સહેતુલક્ષણ હોતું નથી. ઉદાહરણાર્થ, શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવા અપાયેલ હેતુ “સ્વરાચવાત (સ્પર્શશુન્ય હોવાથી) સવ્યભિચાર હેત્વાભાસ છે, કારણ કે સ્પર્શશુન્યત્વ સપક્ષ (આત્મા વગેરે નિત્ય પદાર્થો) ઉપરાંત વિપક્ષમાં (રૂપ વગેરે અનિત્ય પદાર્થોમાં) પણ રહે છે.
નવ્યતૈયાયિકેએ સવ્યભિચાર હેત્વાભાસના ત્રણ ભેદો સ્વીકાર્યા છે – સાધારણ, અસાધારણ અને અનુપસંહારી. (૧) સાધારણ-સાધારણ હેત્વાભાસ તે છે જે પક્ષમાં, સપક્ષમાં અને વિપક્ષમાં
રહેતે હોય. ઉપર આપેલા ઉદાહરણને સાધારણ હેત્વાભાસ ગણવામાં આવશે કારણ કે “સ્પર્શશુન્યત્વે’ હેતુ પક્ષમાં ( શબ્દમાં) છે, સપક્ષમાં ( આત્મા વગેરે નિત્ય પદાર્થોમાં) છે અને વિપક્ષમાં ( રૂપ વગેરે અનિત્ય
પદાર્થોમાં) છે. (૨) અસાધારણ-જે હેતુ કેવળ પક્ષમાં જ રહે છે અને સપક્ષ અને વિપક્ષ
હોવા છતાં તેમનામાં રહેતું નથી, તે અસાધારણ હેવાભાસ છે.” ઉદાહરણાર્થ, “શબ્દ નિત્ય છે, કારણ કે તેનામાં શબ્દસ્વધર્મ છે.” અહીં શબ્દ પક્ષ છે, શબ્દ સિવાયના આત્મા વગેરે નિત્ય પદાર્થો સપક્ષે છે અને રૂપ વગેરે અનિત્ય પદાર્થો વિપક્ષ છે. સપક્ષ અને વિપક્ષ હેવા છતાં “શબ્દ” હેતુનું સપક્ષમાં કે વિપક્ષમાં હોવું સંભવતુ નથી કારણ