________________
ન્યાયદર્શીન
૪૭૩
જ્ઞાન થાય છે, એટલે આ જ્ઞાન ભ્રાન્તિ છે. આ ભ્રાન્તિ ઇન્દ્રિયા સન્વિક જન્ય છે. એટલે તેને પ્રત્યક્ષબ્રાન્તિ ગણવામાં આવે છે.૩૫
કેાઈ અહી શંકા કરે છે કે જેને પ્રત્યક્ષભ્રાન્તિએ ગણવામાં આવે છે તે ખરેખર પ્રત્યક્ષભ્રાન્તિઓ છે જ નહિ કારણ કે તે ભ્રાન્તિએ ખરેખર ઇન્દ્રિયાથસન્વિક જન્ય નથી. એટલે એ ભ્રાન્તિની વ્યાવૃત્તિ ‘ઇન્દ્રિયાથસમ્નિકક્ષેત્પિન્ન’ પદથી જ થઈ જાય છે, પરિણામે લક્ષણમાં અવ્યભિચારી’પદનું પ્રયોજન આવી ભ્રાન્તિની વ્યાવૃત્તિ કરવાનું ન જ હેાઈ શકે.
આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે આ બ્રાન્તિ ઇન્દ્રિયા - સત્રિક જન્ય જ છે, કારણ કે ઇન્દ્રિયાથ`સત્રિક હોય તેા જ તેવાં નાને થાય છે, અન્યથા થતાં નથી; આંખા બંધ કરેલી હોય તેને રણની રેતીમાં જળનુ જ્ઞાન થયું હોય એવું કદીય બન્યું છે ?૩૬
વાચસ્પતિને મતે તેમણે માનેલાં નિવિકલ્પ પ્રત્યક્ષ જ્ઞાનેામાં તા વ્યભિચારને સંભવ જ નથી; એટલે ઇન્દ્રિયા સન્વિક જન્ય સવિકલ્પ જ્ઞાનેામાં જે યથા નથી હોતાં તેમનું વ્યાવન કરવા સવિકલ્પપ્રત્યક્ષની વ્યાખ્યામાં ‘અવ્યભિચારી’ પદ મૂક્યું છે.
(૪) વ્યવસાયાત્મમ્—ભાષ્યકારને મતે કેટલાક સંશયા ઇન્દ્રિયાથ`સન્નિક જન્ય છે. વળી, તે આવા ઇન્દ્રિયાથસન્નિ જન્ય સંશયાને અવ્યભિચારી ગણે છે, કારણ કે જે અ` બહાર હોય છે તે અથ આવાં સંશયનાનેામાં ભાસે છે. આનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. દૂરથી કઈ વસ્તુ દેખી તે ધૂમ હશે કે ધૂળ એવા સંશય જન્મે છે. આ સંશય ઇન્દ્રિયા સન્નિક જન્ય છે. તે અવ્યભિચારી પણ છે કારણ કે બહાર જે પદાર્થ છે તેમાં તે પદાની બુદ્ધિ આ સંશયજ્ઞાનમાં છે. અહીં સ`શયજ્ઞાન જે ધમ વિશેષ્યમાં જાણે છે તે ધર્મ વિશેષ્યમાં છે જ, તે દ્રવ્યરૂપ વિશેષ્યમાં ધૃમત્વ અને ધૂલિત આ બેમાંથી એક ધમ અવશ્ય હેાય છે, તેથી આવાં સંશયજ્ઞાનેા ભાષ્યકારને મતે અવ્યભિચારી છે.૩૭ જયંત પણ ભાષ્યકાર સાથે સંમત છે.૩૮ પરિણામે, આવાં સંશયજ્ઞાનાને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડતું અટકે તે માટે જ પ્રત્યક્ષલક્ષણમાં વ્યવસાયાત્મક' પદ મૂકવામાં આવ્યું છે. આવાં સંશયજ્ઞાના ઇન્દ્રિયાથ`સન્નિકાંપન્ન, અવ્યપદેશ્ય અને અભિચારી હોવા છતાં વ્યવસાયાત્મક (=નિશ્ચયાત્મક) હેતાં નથી; એટલે તેમને પ્રત્યક્ષ ગણી શકાય નહિ.