SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયન ૧ અહીં તે જ્ઞાન અભિપ્રેત છે જે ઇન્દ્રિયા સન્નિષેર્ધાત્પન્ન હોવા છતાં પેાતાના વિષયના નામથી વર્ણ વાતાં અર્થાત્ ‘રૂપજ્ઞાન’, ‘રસજ્ઞાન’ આદિ નામેાથી વણુ વાતાં શબ્દનુ ક (વિષય) બની ગયું છે અને પ્રમિતિરૂપ રહ્યું નથી.૨૯ વૃદ્ધનૈયાયિકતા કહેવાતા આશય એ છે કે ઇન્દ્રિયા સન્નિકષૅપિન્ન જ્ઞાન જ્યાં સુધી રૂપ આદિ વિષયાનુ ગ્રહણ કરવામાં અભિમુખ હોય છે ત્યાં સુધી જ તે પ્રત્યક્ષ ગણાય છે, પરંતુ જ્યારે તે જ જ્ઞાન ‘રૂપજ્ઞાન', રસજ્ઞાન' એવાં સ્વવિષયનામેાથી વણ વાય છે ત્યારે રૂપ આદિ વિષયને ગ્રહણ કરવાના પેાતાના વ્યાપારને કારણે તે જ્ઞાને જે પ્રત્યક્ષપ્રમાણતા પ્રાપ્ત કરી હતી તે તે જ્ઞાન ગુમાવે છે અને શબ્દનુ કમ બની જાય છે, પ્રમેય બની જાય છે; આ દશામાં તેનામાં પ્રમાણપણું કે પ્રમાપશુ: રહેતું જ નથી,૩૦ આમ આ મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયા સન્નિષેત્પિન્ન તેમ જ અવ્યભિચારી અને વ્યવસાયાત્મક હોવા છતાં પેાતાના વિષયના નામને (=વ્યપદેશના) વિષય અંની ગયું છે તે જ્ઞાનની વ્યાવૃત્તિ કરવા માટે લક્ષણમાં ‘અન્યપદેશ્ય’ પદ મૂછ્યું છે, કારણ કે તેવું જ્ઞાન પ્રત્યક્ષ નથી; હકીકતમાં તેવું જ્ઞાન પ્રમાણુરૂપ કે પ્રસારૂપ રહેતું જ નથી પણ પ્રમેયરૂપ બની જાય છે. (ત્ર) જયંતે પેાતાની ન્યાયમંજરીમાં આચાર્યાંના મત પણ તેાંધ્યા છે. તેમના મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયાથસન્નિષ તેમ જ શબ્દ (=વ્યપદેશ) તેથી ઉત્પન્ન થાય છે તેને વ્યપદેશ્ય (વ્યપદેશજન્ય) કહેવાય અને એવા જ્ઞાનને પ્રત્યક્ષ ન ગણી શકાય. પ્રત્યક્ષજ્ઞાન એવું ઉભયજ જ્ઞાન નથી એ દર્શાવવા પ્રસ્તુત લક્ષણમાં ‘અભ્યપદેશ્ય' પદ મુકવામાં આવ્યુ છે. ઇન્દ્રિયા સકિ તેમ જ શબ્દ 'તેથી ઉત્પન્ન થનાર જ્ઞાનનું ઉદાહરણુ નીચે પ્રમાણ છે. પિતા બાળકને લઈ બહાર જાય છે. બાળક નવું વૃક્ષ દેખે છે. પિતા તેને કહે છે કે આતે ‘પનસ' કહેવાય. બાળક જે વૃક્ષને દેખી રહ્યો છે તે વૃક્ષને વિશે તેને જ્ઞાન થાય છે કે આ પનસ છે.' ‘આ પનસ છે' એવુ જે જ્ઞાન બાળકને થયું તે કેવળ ઇન્દ્રિયાસન્વિક જન્મ નથી પણ સાથે સાથે શબ્દજન્ય પણ છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં આપ્તવચન પણ કારણ છે. તેથી આ જ્ઞાનને વ્યપદેશ્ય કહેવામાં આવે છે. આવાં નાનાને પ્રત્યક્ષ ગણાય નહિ. તેથી પ્રત્યક્ષલક્ષણમાં અવ્યપદેશ્ય’પદ મૂકી આવાં નાનાને વ્યાવૃત્ત (exclude) કરવામાં આવ્યાં છે.૩૧
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy