SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ પદન સયેાગસ બધથી પટને મૂકી દે, તેા પછી તંતુઓમાં અભાવ નહિ રહે, અર્થાત્ એ વખતે તન્તુઓમાં સમવાયસંબંધથી પટના અભાવ હોવા છતાં સચેાગસંબંધથી પટનેા ભાવ છે. આથી અભાવને વિચાર કરતી વેળાએ એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે કયા સંબંધથી પ્રતિયેાગીના રહેવાના અભાવ પ્રકૃત સ્થળે છે.જ (૪) અભાવના પ્રકાર અભાવના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે-(૧) પ્રાગભાવ (૨) પ્રંસાભાવ (૩) અત્યન્તાભાવ અને (૪) અન્યાન્યાભાવ. હવે ક્રમથી તેમનું નિરૂપણ કરીએ. (૧) પ્રાગભાવ (Prior Non-existence)-કાયની ઉત્પત્તિ પહેલાં તેને અભાવ પ્રાગભાવ કહેવાય છે.પ પ્રાગભાવતા પ્રતિયોગી કાય છે, અનુચેાગી કારણ છે અને પ્રતિયોગિતાને અવચ્છેદક સમવાયસંબંધ છે. તનુએમાં ઉત્પન્ન થતાં પહેલાં પટના અભાવને પટ-પ્રાગભાવ કહેવામાં આવે છે. ત`તુઓમાં પટને પ્રાગભાવ અનાદિ કાળથી ચાહ્યા આવે છે પરંતુ પટના ઉત્પન્ન થતાં જ તેના નાશ થાય છે. આમ પ્રાગભાવ વિનાશ પામનારે અભાવ છે. તે અનાદિ અને સાન્ત છે,કે અહીં તન્તુઓમાં સમવાયસંબંધથી પટના હોવાના અભાવ છે, અર્થાત્ પટપ્રાગભાવના પ્રતિયેગી પટની પ્રતિયોગિતા સમવાયસ બધથી અવચ્છિન્ન છે. (૨) પ્રષ્નંસાભાવ (Posterior Non-existence)—કાય ના વિનાશ થતાં કાના અભાવ થાય છે, તેને પ્રÜંસાભાવ કહેવામાં આવે છે. જ્યારે તન્તુઓમાં પટ ઉત્પન્ન થઈ જાય અને પછી જો તન્તુઓને અલગ અગલ કરવામાં આવે તે પટને નાશ થઈ જાય છે. એને જ પટના ધ્વંસ કહે છે. બીજી રીતે કહેવાય કે તન્તુઓમાં પટના સાભાવ ઉત્પન્ન થઈ ગયા. આ અભાવ તન્તુસંચાગને નાશ થતાં ઉત્પન્ન થાય છે પરંતુ એક વાર ઉત્પન્ન થયા પછી તે સદા રહે છે, કારણ કે એના એ પટ ફરી ઉત્પન્ન થઈ શકતા નથી અને જો તેના તે જ ઘટનેા પુનઃર્ભાવ અસંભવ હોય તેા પછી એ ઘટના ધ્વંસાભાવ કેવી રીતે નાશ પામે ? તેથી સાભાવને કોઈ અન્ત નથી. એટલે જ ધ્વંસાભાવને સાદિ—અનન્ત ગણવામાં આવ્યે છે. અહીં પણ તન્તુઓમાં સમવાયસંબંધથી પટના હાવાના અભાવ છે, એટલા માટે સાભાવને પ્રતિયેાગી
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy