________________
પદર્શન આવ્યો છે. હવે જે સમવાય નિત્ય હોય તો તે એક જ હેય, કારણ કે અનંત નિત્ય સમવાયે–પ્રત્યેક કાર્યક્રવ્યનો જુદો નિત્ય સમવાય—માનતાં તે ઘણી સમસ્યાઓ ઊભી થાય.
આમ, ન્યાય-વૈશેષિકે સમવાયને નિત્ય અને એક માને છે. વિરોધીઓ તેની સામે આપત્તિઓ ઊઠાવે છે. એક આપત્તિ આ છે—જે સમવાય એક હોય તે દ્રવ્યત્વનો સમવાય અને ગુણત્વનો સમવાય એક જ હેઈ દ્રવ્યત્વ ગુણમાં પણ રહે અને ગુણત્વ દ્રવ્યમાં પણ રહે, આમ પદાર્થોને સંકર થઈ જાય.૨૨ આના ઉત્તરમાં પ્રશસ્તપાદ કહે છે–જે કે દ્રવ્યત્વનો સમવાય અને ગુણત્વનો સમવાય એક જ છે તેમ છતાં વ્યંગ્યને અભિવ્યકત કરવાની શકિતમાં ભેદ હેવાને કારણે અમુક પદાર્થો વચ્ચે જ આધારાધેયંભાવ મર્યાદિત બને છે– અર્થાત ગુણ અને દ્રવ્યત્વ વચ્ચે કે દ્રવ્ય અને ગુણત્વ વચ્ચે આધારાધેયભાવ નથી પરંતુ ગુણ અને ગુણત્વ વચ્ચે કે દ્રવ્ય અને દ્રવ્યત્વ વચ્ચે આધારાધેયભાવ છે.૨૩ શ્રીધર જણાવે છે કે વ્યંગ્ય દ્રવ્યત્વને અભિવ્યક્ત કરવાની શક્તિ કેવળ દ્રવ્યોમાં છે, તેથી દ્રવ્યત્વ દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહે છે. ૨૪ આનો અર્થ તે એ કે દ્રવ્યત્વ ઉપરાંત વ્યંગ્યવ્યંજકશક્તિ પણ દ્રવ્યમાં દ્રવ્યત્વની સાથે રહે છે. આમ ન્યાય-વૈશેષિકે આપત્તિનો સામનો કરવા અસંખ્ય કલ્પનાઓ કરતાં કદી અચકાતા નથી તેનું આ એક ઉદાહરણ છે. પ્રશસ્તપાદે શંકાનું કરેલું સમાધાન સંતોષપ્રદ નથી. વિશ્વનાથે સમવાયને એક માનવામાં ઊઠતી એક વધુ આપત્તિનો નિર્દેશ કર્યો છે. જે આખા જગતમાં એક જ સમવાય હાય તે વાયુમાં જેવી રીતે સ્પર્શને સમવાય છે તેવી જ રીતે રૂપને સમવાય પણ હેવાનો, કારણ કે સ્પ–સમવાય અને રૂપ–સમવાય તે એક જ છે. આ આપત્તિના ઉત્તરમાં વિશ્વનાથ કહે છે કે જો કે સમવાય એક જ છે તેમ છતાં જે વસ્તુઓનો સમવાય થાય છે તે વસ્તુઓ તે એક નથી. વાયુમાં રૂપ-સમવાય હોવા છતાં રૂપ નથી અને રૂપવત્તાની (=રૂપયુક્ત હવાની) પ્રતીતિ માટે તે રૂ૫ અને રૂપ-સમવાય બંનેની અપેક્ષા છે. તેથી વાયુમાં રૂપ ન હોવાને કારણે રૂપવત્તાની પ્રતીતિ થતી નથી.૨૫ પરંતુ આ તે શબ્દજાળ છે. વાયુમાં રૂપ ન હોય તે વાયુમાં રૂપ-સમવાયની કલ્પના કેવી રીતે થઈ શકે ?
સમવાય નિત્ય અને એક હાઈ પ્રશ્ન ઉદ્ભવે છે કે તે શું વ્યાપક પણ છે ? આ જ પ્રશ્ન સામાન્યની બાબતમાં પણ ઊડ્યો હતો. તેને જવાબ ન્યાયવૈશેષિકેએ સ્પષ્ટ આપ્યો નથી. આવી જ અસ્પષ્ટતા સમવાયની વ્યાપકતા વિશે પણ છે. સામાન્ય તે અનેક છે એટલે પ્રત્યેક સામાન્યની વ્યાપકતાનો પ્રશ્ન