________________
વશેષિકદર્શન
૪૧૫
રહેતું નથી. ઘટાભાવ ભૂતલમાં સમવાય સંબંધથી કે સંગસંબંધથી રહેતા નથી. પરંતુ અભાવ પિતાના અધિકરણમાં સ્વરૂપસંબંધથી રહે છે. સ્વરૂપસંબંધનો અર્થ એટલે જ છે કે અભાવ પોતાના અધિકરણનું વિશેષણ છે. ઘટાભાવ ભૂતલનું વિશેષણ છે. ભૂતલ ઇન્દ્રિયસંબદ્ધ છે અને ઘટાભાવ ઈન્દ્રિયસંબદ્ધ ભૂતલનું વિશેષણ છે. તેથી ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે. આમ વિશેષણતાસનિક દ્વારા અભાવનું પ્રત્યક્ષ થાય છે.
નૌયાયિક કહે છે કે અભાવની જેમ સમવાયનું પ્રત્યક્ષ પણ વિશેષણતાસનિક દ્વારા થાય છે. સમવાય પિતાના સમવાયીમાં કઈ સંબંધથી રહે તે નથી પણ પિતાના સ્વરૂપથી જ રહે છે. તેથી, તે પિતાના સમવાયીનું (=અધિકરણનું) વિશેષણ બને છે. એટલે સમવાયનું પ્રત્યક્ષ પણ અભાવની જેમ વિશેષણતાસનિકર્ષથી થાય છે.૨૦
વૈશેષિકે સમવાયનું પ્રત્યક્ષ સ્વીકારતા નથી કારણ કે તેમનું કહેવું છે કે સંબંધનું પ્રત્યક્ષ ત્યારે જ થઈ શકે જ્યારે એ સંબંધ દ્વારા સમ્બદ્ધ બધી જ વસ્તુઓનું પ્રત્યક્ષ થાય. સમવાય તે નિત્ય અને એક છે. એના દ્વારા સમ્બદ્ધ બધી જ વસ્તુઓનું–કેવળ વર્તમાન કાળની જ નહિ પરંતુ ભૂત અને ભવિષ્યત કાળની–પ્રત્યક્ષ સંભંવતું નથી. તેથી, વૈશેષિકે સમવાયના પ્રત્યક્ષનો સ્વીકાર કરતા નથી. પરંતુ તૈયાયિકે સમવાયનું પ્રત્યક્ષ સ્વીકારે છે. વૈશેષિકેએ ઊઠાવેલી શંકાઓના ઉત્તરમાં તેઓ કહે છે કે જ્યારે ઘટમાં રૂપનું પ્રત્યક્ષ થાય છે ત્યારે એ આવશ્યક છે કે રૂપસમવાયનું પણ પ્રત્યક્ષ થાય અર્થાત સંબંધનું પ્રત્યક્ષ પણ જરૂરી છે. એ વાત કે સંબંધનું પ્રત્યક્ષ ત્યારે જ થાય કે જ્યારે તેનાથી સંબદ્ધ બધી વસ્તુઓનું પણ પ્રત્યક્ષ થાય કેવળ સંયોગની બાબતમાં ઠીક છે, અને નહિ કે સમવાયની બાબતમાં પણ.૨૧ નૈયાયિકના મત પ્રમાણે સમવાયનું પ્રત્યક્ષ પણ અભાવના પ્રત્યક્ષની જેમ વિશે ઘણુતાસનિકળંથી થાય છે.
(૭) સમવાય એક અને નિત્ય સમવાયની સ્થાપના કર્યા પછી પ્રશ્ન ઊભો થયો કે તેને નિત્ય માનવો કે અનિત્ય. જે તેને અનિત્ય માનવામાં આવે છે તે અનેક અને કાર્યરૂપ બની જાય, પરિણામે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન જાગે, તે ભાવાત્મક હઈ તેની ઉત્પત્તિ માટે ત્રણ પ્રકારનાં કારણે માનવા પડે, તેનાં ત્રણ કારણો માનતાં ન ઉકલે એવી સમસ્યાઓ ખડી થાય. તેથી, સમવાયને નિત્ય માનવામાં