SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ પદર્શન (૧) સાત– સામાન્ય જેમ કાળની દષ્ટિએ વ્યાપક છે તેમ દેશની દષ્ટિએ પણ વ્યાપક છે. તે નિત્ય હોવા ઉપરાંત વ્યાપક પણ છે. તેથી સામાન્ય સર્વસર્વાગત છે. બધાં સામાન્ય બધી જ વ્યક્તિઓમાં રહે છે. ગોવ ગાયમાં જ નહિ પણ ઘોડાઓ, હાથીઓ વગેરેમાં પણ છે. અશ્વત્વ ઘડાઓમાં જ નહિ પણ ગાય, હાથીઓ, વગેરેમાં પણ છે. પ્રત્યેક સામાન્ય સર્વવ્યાપી છે. તે કેવળ વ્યકિતઓમાં જ નહિ પણ બધી જ વ્યકિતઓમાં રહે છે. જે ગોત્વસામાન્ય અશ્વવ્યકિતઓમાં હોય તે તેની પ્રતીતિ આપણને થતી કેમ નથી ? અશ્વમાં ગત કેમ જણાતું નથી ? તેનું કારણ એ છે કે ગોત્વસામાન્યની અભિવ્યક્તિ કેવળ ગવ્યકિતથી જ થાય છે, અન્ય વ્યકિતથી થતી નથી. ગોત્વસામાન્ય સર્વત્ર હવા છતાં તેનું અભિવ્યંજક કારણ ગોવ્યકિત સર્વત્ર ન હોવાથી ત્વસામાન્યની પ્રતીતિ સર્વત્ર થતી નથી. આમ સામાન્ય સર્વત્ર વિદ્યમાન હોવા છતાં તે સર્વત્ર દેખાતું નથી. પોતાની અભિવ્યંજક વ્યક્તિ જ્યાં હોય છે ત્યાં જ તે દેખાય છે. ગેલ્વસામાન્યની અભિવ્યંજક ગવ્યક્તિ છે, અશ્વ વગેરે વ્યકિતઓ નથી. તેથી, ગવ્યક્તિ જ્યાં હોય છે ત્યાં જ સામાન્ય દેખાય છે; અશ્વવ્યકિતમાં ગોવસામાન્ય હોવા છતાં તે ત્યાં દેખાતું નથી. ગોવસામાન્ય ગાય, અશ્વ, હાથી વગેરે બધી જ વ્યક્તિઓમાં હોવા છતાં તે ગોવ્યકિતઓ દ્વારા જ અભિવ્યકત કેમ થાય છે? આના જવાબમાં ન્યાય-વૈશેષિક ચિંતક કહે છે કે તે તેને સ્વભાવ છે. સામાન્યને સ્વભાવ જ એ છે કે તે બધી વ્યક્તિઓમાં રહેતું હોવા છતાં અમુક વર્ગની વ્યકિતઓ દ્વારા જ તે વ્યક્ત થાય છે, બધા જ વર્ગની વ્યકિતઓ દ્વારા તે વ્યકત થતું નથી. સામાન્ય પિતાની વ્યકિતથી વ્યંગ્ય છે તે સ્વીકારીએ તે પણ તેને વ્યાપક માનવાની શી જરૂર છે ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક દાર્શનિક કહે છે કે જ્યારે ગાય એક સ્થળેથી બીજે સ્થળે જાય છે ત્યારે તે બીજે સ્થળે આવેલી ગાયમાં પણ ગોત્વ જણાય છે. પરંતુ ગાયની સાથે ગોવસામાન્ય પણ એક સ્થળેથી બીજે સ્થળે ગતિ(કર્મ) કરે છે એમ માનવું ઈષ્ટ નથી, કારણ કે કર્મ તે દ્રવ્યમાં જ રહે છે અને સામાન્ય તો દ્રવ્ય નથી. તેથી પ્રથમ સ્થળની જેમ બીજે સ્થળે અને સર્વ દેશે ગે–સામા ન્યનું અસ્તિત્વ માનવું જ જોઈએ. સામાન્ય વ્યાપક છે અને બધી જ વ્યકિતઓમાં રહે છે પરંતુ પોતાની વ્યકિતઓ દ્વારા જ તે વ્યક્ત થાય છે એવા આ મતના પુરસ્કર્તા છે ન્યાયમંજરીકા જયંત ભટ્ટ.૫૪ (૨) (વ્યાપ) સ્વવિચસર્વત – “સ્વવિધ્યસર્વગત’ના બે અર્થ થઈ શકે છે – એક તે એ કે સામાન્ય પિતાની વ્યક્તિઓમાં જ સમવાય સંબંધથી રહે
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy