SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ યુદ્ધ ન પદાર્થની સૂચીમાં સમાવ્યાં છે તેમ છતાં તેએ અથ અને પદાથ વચ્ચે ભેદ કરતાં જણાય છે. ‘અથા અથ લાગે છે. બાહ્ય અસ્તિત્વ ધરાવતી વસ્તુ’, જ્યારે ‘પદાર્થના અથ લાગે છે. પદના (શબ્દના) અથ. તેથી પદાથ માં શબ્દસ સ`યોગ્ય વિચારધટકોનેા, મૂળભૂત પ્રતીતિઓને યા વિકલ્પાને પણ સમાવેશ થઈ શકે છે. (૪) વળી, કણાદે સામાન્ય અને વિશેષને સ્પષ્ટપણે મુપેક્ષ કહ્યાં છે.૧૦ આના અર્થ એ કે સામાન્યનું અસ્તિત્વ અનુવૃત્તિબુદ્ધિ પર આધાર રાખે છે અને વિશેષનું અસ્તિત્વ વ્યાવૃત્તિબુદ્ધિ પર આધાર રાખે છે; સામાન્ય અને વિશેષનું અસ્તિત્વ સ્વત ંત્ર નથી પરંતુ ખ્રુદ્ધિતંત્ર છે, જે જ્યારે અનુવૃત્તિષુદ્ધિ ઉત્પન્ન કરે છે તે ત્યારે તે બુદ્ધિને આધારે સામાન્ય બને છે અને તે જ જ્યારે વ્યાવૃત્તિષુદ્ધિ ઉત્પન્ન કરે છે ત્યારે તે તે બુદ્ધિને આધારે વિશેષ અને છે.૧૧ પરંતુ આ છે શું જે અનુવૃત્તિષુદ્ધિને જન્માવી તે બુદ્ધિને આધારે સામાન્ય બને છે અને વ્યાવૃત્તિષુદ્ધિ જન્માવી તે બુદ્ધિને આધારે વિશેષ બને છે ? તે છે. અના ધર્યાં. એકના એક ધર્મમાં સામાન્ય પશુ અને છે અને વિશેષ પણ બને છે. તેમનુ સામાન્ય બનવું કે વિશેષ બનવું તેએ કેવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે તેના ઉપર નિર્ભીર છે. પ્રશસ્તપાદ, ઉદ્યોતકર અને શ્રીધરના જમાનામાં જ્યારે સામાન્યની સ્થાપના અનેક વ્યક્તિઓમાં રહેતા દ્રવ્ય, ગુણ અને કમથી અતિરિક્ત નિત્ય અને એક બાહ્ય તત્ત્વ તરીકે થઈ ચૂકી હતી ત્યારેય આ પુરાણી માન્યતાના અવશેષો ચાલુ રહ્યા હતા. ઉદ્યોતકર એક ઠેકાણે જણાવે છે કે દરેક વસ્તુને એ આકાર છે—સામાન્યાકાર અને વિશેષાકાર.૧૨ ઉદ્યોતકનું આ વાકય સ્પષ્ટપણે દર્શાવે છે કે સામાન્ય એ અનેક વ્યક્તિએમાં સમવાયસંબંધથી રહેતી એક નિત્ય વસ્તુ નથી પરંતુ તે વ્યક્તિને પેાતાના આકાર, રૂપ યા ધમ છે. ઉપરાંત, પ્રશસ્તપાદ સામાન્યને અગ્નિલક્ષણ ગણે છે.૧૩ બુદ્ધિલક્ષણના અથ છે ‘બુદ્ધિ જ જેના અસ્તિત્વનું પ્રમાણ છે.’ સામાન્યને બુદ્ધિલક્ષણ એટલા માટે ગણ્યું છે કે દ્રવ્ય, ગુણ અને કનુ અસ્તિત્વ તેા તેમનાં અન્ય કાર્યાંથી પણ પુરવાર થઈ શકે છે જ્યારે સામાન્યનુ અસ્તિત્વ તે કેવળ અનુવૃત્તિષુદ્ધિથી જ પુરવાર થઈ શકે છે. ૧૪ ઉત્તરકાળે સામાન્યને ચૂસ્તપણે બાહ્ય અસ્તિત્વ ધરાવનાર અને અનેક દ્રવ્યવ્યકિતઓ, ગુણવ્યક્તિએ યા ક વ્યક્તિએમાં સમવાયસંબંધથી રહેનાર તત્ત્વ તરીકે માનવામાં આવ્યું ત્યારે ન્યાયવૈશેષિકાએ કહ્યું કે સામાન્ય બે કાર્યાં કરી શકે છે- અનુવૃત્તિબુદ્ધિને ઉત્પન્ન કરવાનું અને વ્યાવૃત્તિબુદ્ધિને ઉત્પન્ન કરવાનું; અલબત્ત તે અનુવૃત્તિષુદ્ધિ તેનુ પ્રધાન કાય છે જ્યારે વ્યાવૃત્તિમુદ્ધિ તેનું ગૌણુ કાય છે. આમ હવે અનુવૃત્તિષુદ્ધિને ઉત્પન્ન કરીને સ્વાત્મલાભ કરવાના સામાન્યને ન રહ્યો કે વ્યાવૃત્તિષુદ્ધિને ઉત્પન્ન કરીને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy