SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કદર ષડ્રદર્શન (૫) લાળકાવ ક્ષણિકતાને અર્થ અહીં ઉત્પત્તિ પછી અતિશીવ્ર નાશ પામવું એવો છે. પ્રત્યેક કર્મ ક્ષણિક હોય છે. તે અત્યંત અલ્પ ક્ષણો સુધી જ ટકે છે. પ્રથમ ક્ષણમાં કર્મ ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણમાં તે વિભાગ ઉત્પન્ન કરે છે, ત્રીજી ક્ષણમાં વિભાગને લઈ પૂર્વવત સંગને નાશ થાય છે, ચોથી ક્ષણમાં તે કર્મ નો સંયોગ ઉત્પન્ન કરે છે. અને પછી તરત જ તે નાશ પામે છે. આ રીતે પ્રત્યેક કર્મ આશુવિનાશી છે. કેઈ કર્મ નિત્ય. કે ચિરસ્થાયી નથી. (૬) વૈસિયોrવિરોધિa૧૨–કર્મ પોતાના કાર્ય સંયોગથી નાશ પામે છે. કર્મ દ્રવ્યમાં ઉત્પન્ન થઈ દ્રવ્યમાં વિભાગ ઉત્પન્ન કરે છે, વિભાગથી દ્રવ્યને સંયોગ નાશ પામે છે, પછી તે કર્મ દ્રવ્યને ઉત્તર આકાશપ્રદેશ સાથે સંગ ઉત્પન્ન કરે છે. આ ઉત્તરસંયોગથી કર્મને નાશ થાય છે. આમ ઉત્તર સંયોગને ઉત્પન્ન કરનાર કર્મ છે અને એ જ ઉત્તર સંયોગ પોતાના જનક કર્મનો નાશ કરે છે. અહીં કેઈને શંકા ઉભા કે કર્મનું કાર્ય તે વિભાગ પણ છે. તે પછી વિભાગને કર્મનાશક કેમ માનવામાં નથી આવ્યો ? આના ઉત્તરમાં ન્યાયશેષિકે જણાવે છે કે જે વિભાગને કર્મનાશક માનવામાં આવે તે ક્રિયાશ્રય દ્રવ્યને આકાશપ્રદેશ સાથે સંયોગ જ અશક્ય બની જાય. (૭) મરવાથિજારવ –દ્રવ્ય, ગુણ અને કર્મ ત્રણેય સમવાયિકારણ છે. દ્રવ્ય દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષનું સમાયિકારણ છે; ગુણ ગુણત્વ સામાન્યનું સમાયિકારણ છે અને કર્મ કર્મ સ્વસામાન્યનું સમાયિકારણ છે. ગુણ અને કર્મ અસમનાયિકારણ પણ છે, પરંતુ દ્રવ્ય કદીય અસમવાયકારણ નથી. કારણદ્રવ્ય ગુણ કાર્યક્રવ્યના ગુણનું અસમવાયિકારણ છે. કર્મ સંયોગ અને વિભાગનું અસમવાયિકારણ છે; કર્મજન્ય સંયોગ અને વિભાગની ઉત્પત્તિમા કર્મ અસમવાધિકારણ છે એટલું જ નહિ સંગજન્ય સંયોગ અને વિભાગજન્ય વિભાગની ઉત્પત્તિમાંય કર્મ અસમવાધિકારણ છે. સંચગજન્ય સંયોગ અને વિભાગજન્ય વિભાગની ઉત્પત્તિમાં કર્મ સહાયક છે એવી જ વાત અત્યાર સુધી કરી છે અને અત્યારે તેમની ઉત્પત્તિમાં કર્મ અસમાયિકારણું છે એમ કહેવાને શો આધાર છે એમાં આધાર એ છે કે શિવાચાર્ય અને શ્રીધર બંને જણાવે છે કે કર્મ કેવળ અસમવાધિકારણ જ હોય છે જ્યારે . ગુણ તે અસમાયિકારણ પણ હોઈ શકે છે અને નિમિત્તકારણ પણ હોઈ શકે છે. નિમિત્તકારણમાં સમાયિકારણ અને અસમાયિકારણ સિવાયનાં બધાં કારણને સમાવેશ થાય છે એ તે આપણે જાણીએ છીએ. આમાંથી એવું ફલિત
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy