SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પડ્રદર્શન સિવાય કે તેને પ્રથમ ત્રણનું અર્થપણું (સત્ત્વન–રીઆલીટીની એક ચડિયાતી શ્રેણી) સૂચવતી માનવામાં આવે. સ્વરૂપસન્દ દ્રવ્ય, ગુણ અને કર્મ પદાર્થોમાં સ્વીકારીએ તો પણ તેને ભાવત્વ ન ગણી શકાય કારણ કે તેને (સ્વરૂપ સર્વને) તો ભાવ પદાર્થની જેમ અભાવપદાર્થમાં પણ માનવું જ પડે. તેથી પાછળના વૈશેષિકેએ થે છ ભાવ પદાર્થોનો સંગ્રહ કરવા એક સમાન બાહ્ય આધાર શેધવા પ્રયત્ન કર્યો છે. દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા સાક્ષાત્ સમવાય સંબંધથી રહે છે, જ્યારે સામાન્ય, વિશેષ અને સમવાયને સત્તા સાથેનો સંબંધ સાક્ષાત્ સમવાયથી નથી પણ બીજી રીતે છે. જેમાં સત્તા સમવાય સંબંધથી રહે છે તેમાં સામાન્ય અને વિશેષ પણ સમવાય સંબંધથી રહે છે. આમ સત્તા, સામાન્ય અને વિશેષ ત્રણેય એકાથસમવેત છે. એટલે સામાન્ય અને વિશેષનો સત્તા સાથે એકાર્થ સમતત્વરૂપસંબંધ છે. સત્તા જેમાં સમવાય સંબંધથી રહે છે તેમાં સમવાય સમવાય સંબંધથી રહેતું નથી પણ તેનું અસ્તિત્વ (વૃત્તિ) તે ત્યાં હોય છે જ. આમ સત્તા અને સમવાય સંબંધ બંને એકાર્થવૃત્તિ ગણાય. એટલે સમવાયને સત્તા સાથે એકાર્થવૃત્તિરૂપ સંબંધ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ ભાવ પદાર્થો સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણ ભાવ પદાર્થોથી એ રીતે ભિન્ન છે કે પ્રથમ ત્રણને સત્તા સાથે સંબંધ સાક્ષાત સમવાયસંબંધથી છે જ્યારે બીજા ત્રણને સત્તા સાથે સંબંધ સાક્ષાત સમવાય સંબંધથી નહિ પણ સમવાય સંબંધથી જુદા એવા એકાÁસમવેતવરૂપ અને એકાર્થવૃત્તિરૂપ સંબંધોથી છે. આ ઉપરથી કહી શકાય કે ભાવત્વ એ સાક્ષાત સમવાયસંબંધથી કે અન્ય કેઈ સંબંધથી સત્તા સાથેનો સંબંધમાત્ર સૂચવતું જણાય છે. ઉપર કરેલી સમગ્ર ચર્ચા દર્શાવે છે કે ભાવત્વ સત્તા કરતાંય વિશાળ સામાન્ય છે. કર્ણદ સત્તાને દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં રહેતી ગણે છે. વળી, તે આ ત્રણ પદાર્થોને જ ‘અર્થ' સંજ્ઞા આપે છે. કણાદને મતે સૌથી વિશાળ સામાન્ય ભાવ છે. તેમના અનુસાર ભાવ જ શુદ્ધ સામાન્ય છે કારણ કે તે જ કેવળ અનુવૃત્તિનો હેતુ છે, તે કદીય વ્યાવૃત્તિને હેતુ નથી.૧૭ સૂત્રના ટીકાકારે સત્તા અને ભાવ એક જ છે એમ સમજાવે છે. કણાદ ખરેખર ભાવ અને સત્તાને એક જ માને છે કે પછી તે ભાવને સત્તા કરતાંય વિશાળ અને છ પદાર્થોને સંગ્રેડ કરતું સામાન્ય ગણે છે તે કહેવું કઠણ છે. પરંતુ પ્રથમ અધ્યાયના દ્વિતીય આહ્નિકનું છેલ્લું સૂત્ર સૂચવે છે કે તે બેને સૂત્રકાર કદાચ એક જ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy