________________
અસમવાધિકારણ છે. અવયવોમાં ચાલુ રહેલી ક્રિયા અવયવોના આકાશ સાથેના વિભાગનું નિમિત્તકારણ છે.૧૭
અહીં મુખ્ય બે શંકાઓ થાય છે-(૧) જે ક્રિયા અસમાયિકારણ તરીકે અવયને પરસ્પર વિભાગ ઉત્પન્ન કરે છે તે જ ક્રિયા અસમવાયિકારણ તરીકે તે અવયવને આકાશપ્રદેશથી વિભાગ કેમ ઉત્પન્ન ન કરી શકે તેણે તેમા કરવું જોઈએ કારણ કે તેનામાં વિભાગની અસમવાયિકારણુતા છે તેમ જ તે અવયવોને પરસ્પર વિભાગ ઉત્પન્ન કર્યા પછી પણ કેટલીક ક્ષણો અવયમાં ચાલુ રહે છે. આમ વિભાગના અસમાયિકારણ તરીકે વિભાગની કલ્પના કરવાની કઈ જરૂર નથી. %
() બીજી શંકા એ છે કે આકાશપ્રદેશથી અવયના વિભાગની ઉત્પત્તિ અવયવોના પરસ્પર વિભાગરૂપ અસમવાધિકારણથી થાય છે એમ સ્વીકારીએ તે પણ અવયવોને પરસ્પર વિભાગ આકાશપ્રદેશથી અવયવોને વિભાગને ઉત્પન્ન કરવામાં અસમવાયિકારણ હોઈ તે અસમાયિકારણરૂપ વિભાગ ઉપસ્થિત થયા પછી કાર્યરૂપ વિભાગની ઉત્પત્તિ થવામાં કંઈ કાળક્ષેપ થવો ન જોઈએ, અર્થાત અવયવોના પરસ્પર વિભાગ પછી તરત જ ઉત્તર ક્ષણે જ અવયવોનો આકાશપ્રદેશથી વિભાગ ઉત્પન્ન થવો જોઈએ. તે પછી અવયના પરસ્પર વિભાગ પછી તરત જ-અર્થાત અવયવોના સંગના નાશ પહેલાં તેમ જ અવયવીના નાશ પહેલાં અવયવોનો આકાશપ્રદેશથી વિભાગ કેમ ઉત્પન્ન થતો નથી અવચોના સંયોગના નાશની ક્ષણ તેમ જ અવયવીના નાશની ક્ષણ એમ બે ક્ષણનો કાળક્ષેપ તે અવયવોનો આકાશપ્રદેશથી વિભાગ, પિતાની ઉત્પત્તિ માટે કેમ સહન કરે છે ?
આ બેય શંકાનું સમાધાન વૈશેષિકે નીચે પ્રમાણે કરે છે. (૧) અવયવિનો પરસ્પર સંગ અવયવીનું અસમાયિકારણ છે. તેથી તેને આરંભક સંગ કહેવામાં આવે છે. અવયવોનો આકાશ સાથે સંયોગ અવયવીનું ઉત્પાદક કારણ નથી. તેથી તેને અનારંભ સંયોગ કહેવામાં આવે છે. આરંભક સંયોગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ તેમ જ અનારંભક સંયોગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ એમ બે શક્તિઓ એક ક્રિયામાં રહી ન શકે. જે આરંભક સંગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ તેમ જ અનારંભક સંયોગના નાશક વિભાગને ઉત્પન્ન કરવાની શક્તિ એમ બંનેય શક્તિઓ એક જ ક્રિયામાં માનવામાં આવે તે કમળની કળીને કળીરૂપે જ સદા નાશ